SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ કુવિચાર-સંગતિ-શ્રવણયુત, વિષયે કષાયે મગ્ન જે, જે ઉગ્રને ઉન્માર્ગપર, ઉપયોગ તેહ અશુભ છે. ૧૫૮ અર્થ : જેનો ઉપયોગ વિષય-કષાયમાં અવગાઢ (મગ્ર) છે, કુશ્રુતિ, કુવિચાર અને કુસંગતિમાં જોડાયેલો છે, ઉગ્ર છે તથા ઉન્માર્ગમાં લાગેલો છે, તેને તે અશુભ ઉપયોગ છે. असुहोवओगरहिदो सुहोवजुत्तो ण अण्णदवियम्हि । होज्जं मज्झत्थोऽहं णाणप्पगमप्पगं झाए । १५९ ॥ મધ્યસ્થ પરદ્રવ્યે થતો, અશુભોપયોગ રહિત ને શુભમાં અયુક્ત, હું ધ્યાઉં છું નિજ આત્મને જ્ઞાનાત્મને. ૧૫૯. અર્થ ઃ અન્ય દ્રવ્યમાં મધ્યસ્થ થતો હું અશુભોપયોગ રહિત થયો થકો તેમ જ શુભોપયોગ નહિ થયો થકો જ્ઞાનાત્મક આત્માને ધ્યાઉં છું. हं देहमणो ण चेव वाणी ण कारणं तेसिं । कत्ता ण ण कारयिदा अणुमंता णेव कत्तीणं ॥ १६० ॥ હું દેહ નથી, વાણી ન, મન નહિ, તેમનું કારણ નહીં, કર્તા ન, કારિયેતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૧૬૦. અર્થ : હું દેહ નથી, મન નથી, તેમ જ વાણી નથી; તેમનું કારણ નથી, કર્તા નથી, કારિયતા (કરાવનાર) નથી, કર્તાનો અનુમોદક નથી. देहो य मणो वाणी पोग्गलदव्वप्पग ति णिद्दिट्ठा । पोग्गलदव्वं हि पुणो पिंडो परमाणुदव्वाणं ।। १६१ । મન, વાણી તેમ જ દેહ પુદ્ગલદ્રવ્યરૂપ નિર્દિષ્ટ છે; ને તેહ પુદ્ગલદ્રવ્ય બહુ પરમાણુઓનો પિંડ છે. ૧૬૧ અર્થ : દેહ, મન અને વાણી પુદ્ગલદ્રવ્યાત્મક (વીતરાગદેવે) કહ્યા છે; અને તે દેહાદિ પુદ્ગલદ્રવ્ય પરમાણુદ્રવ્યોનો પિંડ છે. हं पोलमइओ ते मया पोग्गला कया पिंडं । तम्हा हि ण देहोऽहं कत्ता वा तस्स देहस्स ।। १६२ ।। હું પૌદ્ગલિક નથી, પુદ્ગલો મેં પિંડરૂપ કર્યાં નથી; તેથી નથી હું દેહ વા તે દેહનો કર્તા નથી. ૧૬૨
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy