SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૨ પ્રકરણ ૮ શ્રી પ્રવચનસાર (સંક્ષિપ્ત સાર) ભગવાન કુંદકુંદાચાર્યના રચેલાં અનેક શાસ્ત્રોમાંથી સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકાય નામનાં ઉત્તમોત્તમ શાસ્ત્રો ‘પ્રાભૂતત્રય’ કહેવાય છે. આ ત્રણે પરમાગમોમાં હજારો શાસ્ત્રોનો સાર આવી જાય છે. શ્રી સમયસાર આ ભરતક્ષેત્રનું સર્વોત્કૃષ્ટ પરમાગમ છે. તેમાં નવ તત્ત્વોનું શુદ્ધનયની દષ્ટિથી નિરૂપણ કરી જીવનું શુદ્ધ સ્વરૂપ સર્વ તરફથી આગમ-યુક્તિ-પરંપરા અને અનુભવથી અતિ વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. પંચાસ્તિકાયમાં છ દ્રવ્યનું અને નવ તત્ત્વનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે. પ્રવચનસારમાં તેના નામ અનુસાર જિનપ્રવચનનો સાર સંઘર્યો છે. જેમ સમયસારમાં મુખ્યત્વે દર્શનપ્રધાન નિરૂપણ છે, તેમ પ્રવચનસારમાં મુખ્યત્વે જ્ઞાનપ્રધાન નિરૂપણ છે. શ્રી પ્રવચનસારના પ્રારંભમાં જ શાસ્ત્રકર્તાએ વીતરાગ ચારિત્ર માટેની પોતાની ઝંખના વ્યક્ત કરી છે. વારંવાર અંતરમાં ડૂબકી મારતા આચાર્ય ભગવાન નિરંતર અંદર જ સમાઇ રહેવાને ઝંખે છે. પણ જ્યાં સુધી એ દશાને પહોંચાતુ નથી ત્યાં સુધી અંતર્-અનુભવથી છૂટી વારંવાર બહાર પણ અવાઈ જાય છે. એ દશામાં તે અમૂલ્ય વચનમૌક્તિકોની માળા ગૂંથાઇને આ પ્રવચનસાર પરમાગમ પ્રસ્તુત થયેલ છે. આખા પરમાગમમાં વીતરાગ ચારિત્રની ઝંખનાનો મુખ્ય ધ્વનિ ગુંજી રહ્યો છે. એવા આ પરમ શાસ્ત્રને વિષે ત્રણ શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધનું નામ જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન છે. અનાદિકાળથી પરસન્મુખ જીવોને ‘હું જ્ઞાનસ્વભાવ છું અને મારું સુખ મારામાં છે’ એવી શ્રદ્ધા કદી થઈ નથી અને તેથી તેની ઓશિયાળી પરસન્મુખ વૃત્તિ કદી ટળતી નથી. એવા દીન-દુઃખી જીવો પર આચાર્ય ભગવાને પરમ કરૂણા કરી આ અધિકારમાં જીવનો જ્ઞાનાનંદ સ્વભાવ વિસ્તારથી સમજાવ્યો છે તેમ જ કેવળીના જ્ઞાન અને કેવળીના સુખ માટેની ધોધમાર ઉત્કૃષ્ટ ભાવના વહાવી છે. ‘ક્ષાયિક જ્ઞાન જ ઉપાદેય છે, ક્ષાયોપશમિક જ્ઞાનવાળા તો કર્મભારને જ ભોગવે છે, પ્રત્યક્ષ જ્ઞાન જ એકાંતિક સુખ છે, પરોક્ષ જ્ઞાન તો અત્યંત આકુળ છે, કેવળીનું અતીન્દ્રિય સુખ તે જ સુખ છે. ઇન્દ્રિયજનિત સુખ તો દુઃખ જ છે, સિદ્ધ ભગવાન સ્વયમેવ જ્ઞાન, સુખ ને દેવ છે, ઘાતિકર્મરહિત ભગવાનનું સુખ સાંભળીને પણ જેમને તેની શ્રદ્ધા થતી નથી તેઓ અભવ્ય (દૂરભવ્ય) છે’ એમ અનેક અનેક પ્રકારે આચાર્ય ભગવાને કેવળજ્ઞાન અને અતીન્દ્રિય પરિપૂર્ણ સુખ માટે પોકાર કર્યો છે. કેવળીના જ્ઞાન અને આનંદ માટે આચાર્ય ભગવાને એવી ભાવભીની ધૂન મચાવી છે કે તે વાંચીને સહેજે એમ લાગી જાય છે કે વિદેહવાસી સીમંધર ભગવાન પાસેથી અને કેવળી ભગવંતોના ટોળાં પાસેથી ભરતક્ષેત્રમાં આવીને તુરત જ કદાચ આચાર્ય ભગવાને આ અધિકાર રચી પોતાની હૃદયઊર્મિઓને વ્યક્ત કરી હોય. આ રીતે જ્ઞાન અને સુખનું અનુપમ નિરૂપણ કરી આ અધિકારમાં આચાર્ય ભગવાને મુમુક્ષુઓને અતીન્દ્રિય જ્ઞાન અને સુખની રુચિ તથા શ્રદ્ધા કરાવી છે અને છેલ્લી ગાથાઓમાં મોહ-રાગ-દ્વેષને નિર્મૂળ કરવાનો જિનોક્ત યથાર્થ ઉપાય સંક્ષેપમાં દર્શાવ્યો છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy