SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ અર્થ : આ (પૂર્વે કહેલાં) તથા આવા બીજા પણ અધ્યવસાન જેમને નથી, તે મુનિઓ અશુભ કે શુભ કર્મથી લેપાતા નથી. बुद्धी ववसाओ वि य अज्झवसाणं मदी य विण्णाणं । एकमेव सव्वं चित्तं भावो य परिणामो ॥ २७१ ॥ બુદ્ધિ, મતિ, વ્યવસાય, અધ્યવસાન, વળી વિજ્ઞાન ને પરિણામ, ચિત્ત ને ભાવ - શબ્દો સર્વ આ એકાર્થ છે. ૨૭૧. અર્થ : બુદ્ધિ, વ્યવસાય, અધ્યવસાન, મતિ, વિજ્ઞાન, ચિત્ત, ભાવ અને પરિણામ - એ બધા એકાર્થ જ છે. (-નામ જુદા છે, અર્થ જુદા નથી.) एवं ववहारणओ पडिसिद्धो जाण णिच्छयणएण । णिच्छयणयासिदा पुण मुणिणो पावंति णिव्वाणं ।। २७२ ।। વ્યવહારનય એ રીત જાણ નિષિદ્ધ નિશ્ચયનય થકી; નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. ૨૭૨. અર્થ ઃ એ રીતે (પૂર્વોક્ત રીતે) (પરાશ્રિત એવો) વ્યવહારનય નિશ્ચયનય વડે નિષિદ્ધ જાણ; નિશ્ચયનયને આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે. वदसमिदीगुत्तीओ सीलतवं जिणवरेहि पण्णत्तं । कुव्वंतो वि अभव्वो अण्णाणी मिच्छदिट्ठी दु ।। २७३ ।। જિનવરકહેલાં વ્રત, સમિતિ, ગુપ્તિ, વળી તપ- ૫-શીલને, કરતાં છતાંય અભવ્ય જીવ અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે. ૨૭૩. અર્થ : જિનવરોએકહેલાં વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપકરતાં છતાંપણઅભવ્યજીવઅજ્ઞાનીઅને મિથ્યાદષ્ટિછે. मोक्खं असद्दहंतो अभवियसत्तो दु जो अधीएज्ज । पाठो ण करेदि गुणं असदहंतस्स णाणं तु ॥ २७४ ॥ મુક્તિ તણી શ્રદ્ધારહિત અભવ્ય જીવ શાસ્ત્રો ભણે, પણ જ્ઞાનની શ્રદ્ધારહિતને પઠન એ નહિ ગુણ કરે. ૨૭૪. અર્થ : મોક્ષને નહિ શ્રદ્ધતો એવો જે અભવ્ય જીવ છે તે શાસ્ત્રો તો ભણે છે, પરંતુ જ્ઞાનને નહિ શ્રદ્ધતા એવા તેને શાસ્ત્રપઠન ગુણ કરતું નથી.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy