________________
૫૯૪ (૭) જો કે વર્તમાન હીણા કાળમાં પુરુષનો યોગ મળવો અત્યંત દુર્લભ છે તો પણ પૂર્વના મહા પગ્યને લીધે તેવો યોગ સંપ્રાપ્ત થાય તો તેની ન થઈ શકે તેટલી કિંમત છે. (૮) જ્ઞાન પ્રાપ્તિના બે નિમિત્ત છે. એક શાસ્ત્ર અને બીજા પુરુષ. તુલનાત્મક દષ્ટિકોણથી વિચારતા સપુરુષને પ્રાધાન્ય આપવા યોગ્ય છે કારણ કે શાસ્ત્રો પણ પુરુષના યોગે સમજવા સુગમ પડે છે. આ રીતે પ્રત્યક્ષ સન્દુરુષના યોગનું મહત્ત્વ મોક્ષમાર્ગમાં સમજવા જેવું છે. ૪) જીવે કરવું શું? “સત્સંગ અને સ્વાધ્યાય': (૧) વર્તમાનકાળમાં જીવને પ્રત્યક્ષ સન્દુરુષની ગેરહાજરીમાં સત્સંગ એ એક સ્વરૂપ સમજણનો પ્રબળ સાધન છે. (૨) વ્યવહારથી સત્સંગ એટલે સરખા બેયવાળા મુમુક્ષુઓ એકત્ર થઈ સ્વરૂપની સમજણનો અભ્યાસ કરે, શાસ્ત્રોનું વાંચન કરી વસ્તુસ્વરૂપના વિચારનો વિનિમય કરે, આપ-લે કરે તે છે. (૩) નિશ્ચયથી પ્રત્યક્ષ અનુભવ માટે પોતાનો (નિજ આત્માનો) મહિમા લાવી તેની સન્મુખ થઈ તેના આશ્રયે જે સંગ થાય તેને સત્સંગ કહેવામાં આવે છે. નિજ આત્મા જ એક સત્ છે. (૪) સત્સંગ છે તો એક આલંબન, પણ જ્યાં સુધી સમજણની યથાર્થ અવસ્થા ઉત્પન્ન થાય ત્યાં સુધી એ પ્રયોજનભૂત છે અને મુમુક્ષુને ઉપકારી છે. (૫) અસત્સંગને ટાળવા માટે સત્સંગ બહુ જ ઉપયોગી છે. જીવ અસત્સંગથી એટલો બધો પરિચિત છે કે તેનું બળ ઘટે નહિ, પરંતુ સત્સંગના પ્રભાવથી અસત્સંગનું બળ ઘટે છે. (૬) આ સત્સંગમાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો યથાર્થ મહિમા આવી જ જાય છે. મુમુક્ષુ જીવને પરવસ્તુઓથી અધિક અન્ય મુમુક્ષુ પ્રત્યે તથા ગુણાતિશયવાન પુરુષ, શ્રી ગુરુ અને સદેવ પ્રત્યે સહજ બહુમાનનો ભાવ વર્તે છે, ફુરે છે અને તેનો નિરંતર સમાગમ ઇચ્છે છે. (૭) “વીતરાગતા”નું સ નિરૂપણ કરતાં શાસ્ત્રોનો સ્વાધ્યાય એ પ્રત્યક્ષ સત્પષની ગેરહાજરીમાં અત્યંત આવશ્યક છે. વ્યવહારથી શાસ્ત્ર સ્વાધ્યાય અને નિશ્ચયથી નિજ ભગવાન આત્માનો સ્વઅધ્યાય એટલે અભ્યાસ અને અંતે અનુભવ એ જ કરવા યોગ્ય છે. આત્માનુભૂતિથી જ વીતરાગતા કમે કમે પ્રાપ્ત થાય છે. આ રીતે સત્સંગ અને સ્વાધ્યાયનું મહત્ત્વ સમજવા જેવું છે. ૫) તત્તનો અભ્યાસ - સાત તત્વનું યથાર્થ જ્ઞાનઃ (૧) તત્ત્વની સાચી શ્રદ્ધાનું નામ સમ્યગ્દર્શન છે.
અર્થ એટલે દ્રવ્ય-ગુણ-પર્યાય; “તત્વ એટલે તેનો ભાવ-સ્વરૂપનું સ્વરૂપ (ભાવ) સહિત પ્રયોજનભૂત પદાર્થોનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. (૨) વિપરીત અભિનિવેશ (ઊંધા અભિપ્રાય) રહિત જીવાદિનું તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે.