________________
૫૯૦
સમ્યક્ ચારિત્ર - એટલે સમ્યગ્દર્શન - જ્ઞાનપૂર્વક આત્મામાં સ્થિરતા તે સમ્યક્ચારિત્ર છે.
આ ત્રણે અનુક્રમે આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ગુણોના શુદ્ધ પર્યાયો (હાલતો) છે. (૩) આત્મા પોતાના સ્વભાવ સામર્થ્યથી પૂર્ણ છે અને પરથી અત્યંત જુદો છે એમ સ્વ-પરની ભિન્નતા જાણીને સ્વદ્રવ્યના અનુભવથી આત્મા પર્યાયમાં પૂર્ણ શુદ્ધતાને પામે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. (૪) મોક્ષમાર્ગ ખરેખર એક જ છે. પણ એનું નિરૂપણ બે પ્રકારથી છે. એક નિશ્ચય અને બીજો વ્યવહાર. નિશ્ચય તો સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. વ્યવહાર પરંપરા - ઉપચારથી કહેવામાં આવ્યો છે. (૫) નિર્વિકલ્પ આત્મઅનુભવ તે નિશ્ચય મોક્ષમાર્ગ છે, તે સાધ્ય છે. તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે.
(૬) મોક્ષમાર્ગ તો એક વીતરાગભાવ છે. કોઈ પણ પ્રકારે રાગ-દ્વેષ મોહભાવનો નિષેધ કરી વીતરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ સત્ય મોક્ષમાર્ગ છે.
(૭) જૈન મતમાં આ મોક્ષમાર્ગ સાધવાનો ઉપદેશ ચાર અનુયોગ દ્વારા આપ્યો છે. ૧) પ્રથમાનુયોગ ૨) કરણાનુયોગ ૩) ચરણાનુયોગ અને ૪) દ્રવ્યાનુયોગ. ચારે ય અનુયોગોનું તાત્પર્ય ‘વીતરાગતા’ જ છે.
૧૮) પાંચ સમવાય : (૧) કોઈ પણ કાર્ય થવા માટે પાંચ સમવાય અનિવાર્ય છે. ૨) સ્વભાવ ૩) નિયતિ ૪) કાળલબ્ધિ ૫) નિમિત્ત.
(૨) ૧) પુરુષાર્થ. એ પાંચ સમવાયનું સ્વરૂપ જાણવું જરૂરી છે.
(૩) ૧) પુરુષાર્થ : ‘હું પરનો સ્વામી, કરવાવાળો નથી, હું તો માત્ર મને જાણનાર જ્ઞાયક છું અને સર્વથા સર્વથી ભિન્ન છું.’ આવી સ્વભાવદૃષ્ટિ કરી નિજ સ્વભાવમાં રહેવું એ ‘પુરુષાર્થ’ છે.
૨) સ્વભાવ : સ્વભાવદષ્ટિનો પુરુષાર્થ કરતાં કરતાં જે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે તે જે સ્વભાવમાં હતી તે જ પ્રગટ થઈ અર્થાત્ જે શુદ્ધતા પ્રગટ થાય છે તે જ ‘સ્વભાવ’ છે.
૩) નિયતિ : સ્વભાવદષ્ટિના પુરુષાર્થથી સ્વભાવમાંથી જે ક્રમબદ્ધ પર્યાય તે સમયે પ્રગટ થવાની હતી તે જ શુદ્ધ પર્યાય તે સમયે પ્રગટ થઈ તે જ ‘નિયતિ’ છે.
૪) કાળલબ્ધિ ઃ સ્વભાવષ્ટિના પુરુષાર્થના સમયે જે દશા પ્રગટ થઈ તે જ વસ્તુનો સ્વકાળ છે. પહેલાં પર તરફ ઢળતો હતો; એની જગ્યાઓ સ્વોન્મુખ થયો તે જ ‘કાળલબ્ધિ’ છે.
૫) નિમિત્ત ઃ સ્વભાવદષ્ટિથી પ્રથમ ચાર સમવાય પ્રગટ થાય ત્યારે પોતાની યોગ્યતાથી જે પદાર્થ ત્યાં હાજર હોય તેને ‘નિમિત્ત’ કહેવામાં આવે છે.