________________
૫૮૫ ગુણ-પર્યાયોમાં પરિણમન કરતી જ રહે છે. પરના ગુણ-પર્યાયોમાં પરિણમન કરવાનું અશક્ય હોવાથી કોઈ દ્રવ્ય પરમાં કાંઈ પણ કરતું નથી. (૨) દરેક દ્રવ્યનું લક્ષણ સત્ (અસ્તિત્વ) છે. છે'પણું જેને હોય તે દ્રવ્ય છે. દ્રવ્ય સત્ છે, માટે પોતાથી સ્વપણે છે અને પરપણે નથી. સ્વતઃસિદ્ધ છે અને સ્વતંત્ર છે. (૩) જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે અથવા દરેક દ્રવ્યનું સ્વરૂપ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે. ૧) દ્રવ્યઃ ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. ૨) ગુણ દ્રવ્યના પૂરા ભાગમાં રહે અને તેની સર્વ હાલતોમાં રહે તેને ગુણ કહે છે. ૩) પર્યાયઃ ગુણોની બદલાતી અવસ્થાને પર્યાય કહે છે. ૪) છયે દ્રવ્યોના દ્રવ્ય-ગુણ-પર્યાય જાણવાથી સ્વ-પરનું ભેદજ્ઞાન અને પરપદાર્થની કર્તુત્વબુદ્ધિનો અભાવ થાય છે. ૫) દરેક દ્રવ્ય પોતાના ગુણોને ટકાવી પ્રતિસમય પરિણમન કરી રહ્યું છે, તે ગુણોની પર્યાયો ક્રમબદ્ધપોતાની તે સમયની યોગ્યતા પ્રમાણે થઈ રહી છે. આવું વસ્તુસ્વરૂપ છે. ૬) દરેક દ્રવ્યમાં અસ્તિત્વ, વસ્તૃત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ અને પ્રદેશત્વ એવા સામાન્ય ગુણ છે. ૭) જીવ દ્રવ્યમાં ચૈતન્ય (દર્શન-જ્ઞાન), શ્રદ્ધા (સમ્યકત્વ), વીર્ય, સુખ, ક્રિયાવતી શક્તિ, ભાવવતી શક્તિ વગેરે વિશેષ ગુણ છે. પુદ્ગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ક્રિયાવતી શક્તિ, વૈભાવિક શક્તિ વગેરે વિશેષ ગુણ છે. ધર્માસ્તિકાયદ્રવ્યમાં ગતિ હેતુત્વ, અધર્માસ્તિકાયદ્રવ્યમાં સ્થિતિ હેતુત્વ, આકાશ દ્રવ્યમાં અવગાહન હેતુત્વ અને કાળ દ્રવ્યમાં પરિણમન હેતુત્વ વિશેષ ગુણ છે. આવી રીતે વસ્તુની પણ એક વ્યવસ્થિત સુંદર સ્વતંત્ર વ્યવસ્થા સર્વજ્ઞના જ્ઞાનમાં જાગાઈ છે. ૩) સર્વજ્ઞતા અને સર્વજ્ઞ સ્વભાવઃ (૧) મોક્ષમાર્ગના મૂળ ઉપદેશક શ્રી સર્વજ્ઞદેવ છે; તેથી જેને ધર્મ કરવો હોય તેણે સર્વશને ઓળખવા જોઈએ, તેનું શ્રદ્ધાન કરવું જોઈએ. ધર્મની શરૂઆત શ્રદ્ધાનથી થાય છે. (૨) સર્વજ્ઞ એટલે સર્વના જ્ઞાતા-જાણનાર. લોકના એકેએકદ્રવ્યનાદ્રવ્ય-ગુણ-પર્યાય, ભૂત-વર્તમાનભવિષ્ય સર્વને યુગપ જાણનાર. (૩) નિશ્ચયથી જેવો સર્વજ્ઞ સ્વભાવ છે તેવો જ આ આત્માનો સર્વજ્ઞ સ્વભાવ છે. સર્વજ્ઞને ઓળખતાં પોતાનો આત્મા ઓળખાય છે. (૪) સમસ્ત પદાર્થોને જાણવાના સામર્થ્યરૂપ સર્વજ્ઞત્વશક્તિ આત્મામાં ત્રિકાળ છે. તે પર્યાયમાં પ્રગટ થતાં સર્વજ્ઞ થવાય છે.