SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૬ પણ તે સામાયિક હોય છે. એ સામાયિક બે ઘડીની જ નથી હોતી પણ સદાય વર્તે છે. ત્યાર પછી સ્વભાવની લીનતારૂપ ભાવ પ્રગટે ને રાગાદિ ટળે ત્યારે દેશવિરતીરૂપ સામાયિક હોય છે. અને ઘણી સ્વભાવલીનતા પ્રગટ થતાં સર્વસંગ પરિત્યાગની મુનિદશા પ્રગટે છે તે સર્વવિરતિ સામાયિક માંગે છે. પ્ર. ૧૦ઃ શ્રદ્ધાનનો દોષ અને ચારિત્રના દોષમાં શું ફેર છે? ઉ. ૧૦ઃ શ્રદ્ધાનનો દોષ અને ચારિત્રના દોષમાં બહુ મોટો ફેર છે. સમ્યગ્દષ્ટિ બે ભાઈ લડાઈ કરે, જીવોની હિંસા થાય છતાંએ શરીરની ક્રિયાનોનેરાગનો કર્તાનથી, જ્ઞાતા છે. અને મિથ્યાદષ્ટિ દ્રવ્યલિંગી એકેન્દ્રિયના જીવને પણ હણે નહિ છતાં તે કાયા અને કષાયમાં એકતાબુદ્ધિવાળો હોવાથી કર્તા છે, છ કાયનો ઘાતક છે. આહાહા! ચારિત્રના દોષની અલ્પતા કેટલી કે ભાઈ લડે છતાં તે ભવે મોક્ષે જાય અને શ્રદ્ધાનના દોષની મોટપ એટલી કે વિપરીત પરિણામના ફળ નરક નિગોદ છે. મૂળ આત્મદર્શન વિના ગમે તેટલી સાધુપણાની ક્રિયા કરે પણ બધું ફોગટ છે. છ માસના ઉપવાસ કરે, ત્યાગ કરે પણ આત્મજ્ઞાન વિના તે બધું શૂન્ય છે, રણમાં પોક સમાન છે. ભાઈ ! પ્રભુનો મારગ તદ્દન નિરાળો અંતરનો છે એને સમજવા બહુ પ્રયત્ન માંગે છે. પ્ર. ૧૧: સમ્યગ્દર્શન થયું કે જ્ઞાની જીવને તુરત જ મુનિપદ કેમ થતું નથી? ઉ. ૧૧: આત્માર્થી હઠન કરે કે મારે ઝટઝટ મારું કામ કરવું છે. સ્વભાવમાં હઠ કામ ન આવે. માર્ગ સહજ છે, હઠથી, ઉતાવળથી, અધીરજથી માર્ગ હાથમાં આવતો નથી. સહજ માર્ગને પહોંચવા ધીરજ અને વિવેક જોઈએ. | ઋષભદેવ ભગવાન જેવાને ૮૩ લાખ પૂર્વ સુધી ચારિત્રદશી ન હતી અને ભરત ચક્રિ જેવાને પણ ૭૭ લાખ પૂર્વ રાજ્યપદ ને ૬ લાખ પૂર્વ ચક્રિપદ હતા. એ જાણતા હતા કે અંદર સ્વરૂપમાં ડુબકીરૂપ એકાગ્રતાનો ચારિત્રનો પુરુષાર્થ નથી તેથી હઠ કરતાં ન હતા. કેટલાકને એમ લાગે (થાય)કે સમ્યગ્દર્શન થયું પણ ચારિત્ર ત્યે નહિ તો શું કામનું? પણ ભાઈ ! અંદર સ્વભાવમાં હઠ કામ ન આવે, સહજ પુરુષાર્થથી અંદર જવાય છે. આ વાત સમજવા જેવી છે. ' પ્ર. ૧૨ : રાજા-મહારાજા અને જ્યોર્જ જેવાને પણ એક જ રાણી અને ધર્મી સમ્યગ્દષ્ટિને ૯૬ હજાર રાણીઓ છતાં તેને બંધન નથી? ઉ. ૧૨ : ભાઈ ! બહારના પદાર્થો ઝાઝા હોય તે વધુ બંધનું કારણ ને થોડા હોય તે ઓછા બંધનું કારણ એમ નથી. કોઈને જાડું મોટું શરીર ઘણા પરમાણુ હોય તેને ઘણું બંધન છે અને પાતળું શરીર હોય તેને ઓછું બંધન છે એમ નથી. પરદ્રવ્યો ઝાઝા-થોડાં હોવા તે બંધ-અબંધનું કારણ નથી. પરંતુ પરદ્રવ્યોમાં એકત્વબુદ્ધિ-સ્વામીત્વબુદ્ધિ હોવી તે જ એક બંધનું કારણ છે. સંયોગ ઝાઝા-થોડાં હોવા તે બંધનું કારણ નથી. સમ્યગ્દષ્ટિને ૯૬ હજાર રાણી, નવ નિધાન, ચૌદરત્નો આદિવૈભવો હોવા છતાં ધર્મી તેને પોતાના
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy