SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈતન્ય સ્વભાવપણાને લીધે ૧)કસ્થિત (કર્તામાં રહેલી ક્રિયાનો) - જ્ઞમિ અને દશિનો જીવ જ કર્તા છે. તેના સંબંધમાં રહેલું પુદગલ દ્રવ્ય તેનું કર્તા નથી. ૨) ચૈતન્યના પલ્ટારૂપ સંકલ્પની ઉત્પત્તિ જીવમાં થતી હોવાને લીધે, સુખની અભિલાષારૂપ ક્રિયાનો, દુઃખની ઉદ્દેગરૂપ ક્રિયાનો તથા પોતાથી ચેતવામાં આવતાં શુભ-અશુભ ભાવોનો રચવારૂપ ક્રિયાનો જીવ જ કર્તા છે, અન્ય નહિ. ૩) શુભાશુભ કર્મના ફળભૂત ઇષ્ટ-અનિષ્ટ વિષય - ઉપભોગ ક્રિયાનો સુખ-દુખસ્વરૂપ સ્વપરિણામ ક્રિયાની માફક જીવ જ કર્તા છે. - આમ શુદ્ધ નયથી જીવ પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપના આશ્રયે શુદ્ધભાવોનો કર્તા છે. નિશ્ચય નયર્થ જીવ પોતાના દોષથી રાગાદિચેતન ભાવ કર્મોનો કર્તા છે. શુભાશુભ ભાવોનો (ચેતન કર્મોનો) જીવ કર્તા છે. (પુગલ કર્મનો ઉદય તે ચેતન ભાવોનો કર્તા નથી) અને વ્યવહાર નયે જીવને પુદ્ગલ કર્મ - નોકર્મ આદિનો કર્તા કહ્યો છે. (૫) ભોકતાઃ ભોકતૃત્વ અને અભોકતૃત્વ એ સામાન્ય ગુણો છે. ભોકતૃત્વ ગુણના કારણે દરેક દ્રવ્ય પોતાની અવસ્થાનો ભોક્તા છે અને અભોકતૃત્વ ગુણના કારણે તે પરને કદી ભોગવી શકતો નથી. આ કારણે જીવ પોતાની પર્યાયને જ ભોગવે છે પણ પરને ભોગવે એમ ત્રણ કાળમાં ત્રણ લોકમાં બનતું નથી. જીવ હર્ષ-વિષાદરૂપ અર્થાત્ સુખ-દુઃખરૂપ પોતાના વિકારી ભાવોનો (અશુદ્ધદશામાં) ભોક્તા છે. સાધકદશામાં જીવ અતીન્દ્રિય સુખનો અંશે ભોક્તા છે અને કેવળજ્ઞાન થતાં પોતાના પરિપૂર્ણ સુખના ભોક્તા છે. જીવ પુદ્ગલકર્મના અનુભાગનો કે પરપદાર્થોનો ભોક્તા નથી. પદ્રવ્યોને જીવ ખરેખર ભોગવી શકતો નથી, પણ જીવનો વિભાવ તે પ્રસંગે નિમિત્તમાત્ર છે એટલું જ્ઞાન કરાવવા માટે જીવ શાતા-અશાતા કર્મના અનુભાગરૂપફળને ભોગવે છે એમ વ્યવહારનયે ભોક્તા કહેવાય છે. વળી કર્મોના ફળપણે અનુકૂળ-પ્રતિકૂળ(સુખ-દુઃખરૂપ) પદાર્થોનો સંયોગ થાય છે તેને ભોગવવાનો ભાવ જીવ કરે છે, એટલું જીવનું નિમિત્તમાત્રપણું બતાવવા માટે જીવ સુખ-દુઃખરૂપ બાહ્ય પદાર્થો ભોગવે છે એમ વ્યવહાર નયે કહેવામાં આવે છે. તેથી ખરેખર જીવ કર્મના અનુભાગને કે અનુકૂળ-પ્રતિકૂળ પદાર્થોને ભોગવે છે એમ સમજવું નહિ. (૬) નવદેહ પરિમાણત્વઃ દરેક દ્રવ્યને પ્રદેશત્વ ગુણ હોય છે કેમ કે તે એક સામાન્ય ગુણ છે. જે શક્તિના કારણે દ્રવ્યનો કોઈને કોઈ આકાર અવશ્ય હોય તેને પ્રદેશત્વ ગુણ કહે છે. આ ગુણને કારણે જીવને હર સમય પોતાનો આકાર હોય છે. જીવના પ્રદેશો લોકપ્રમાણ અસંખ્યાત તેટલા જ રહે છે પણ સંસારદશામાં તે પ્રદેશો પોતાના કારણે સંકોચ-વિસ્તાર પામે છે. જીવનો આકાર સંસારદશામાં એક સરખો રહેતો નથી. પોતાને સંયોગરૂપ જે શરીર હોય છે તેના આકાર મુજબ જીવનો પોતાનો આકાર પોતાના કારણે હોય છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy