SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૭ નિરૂપણની અપેક્ષાએ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના બે પ્રકાર કહ્યા છે પણ એક નિશ્ચય સમ્યગ્દર્શન છે તથા એક વ્યવહાર સમ્યગ્દર્શન છે - એમ બે સમ્યગ્દર્શન માનવા તે મિથ્યા છે. જ્ઞાન અને ચારિત્ર સંબંધી પણ એમ જ માનવું. માટે નિશ્ચય વડે જે નિરૂપણ કર્યું હોય તેને સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું તથા વ્યવહાર વડે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની શ્રદ્ધાન છોડવું. બન્ને નયોને ગ્રહણ કરવાનું પણ જિનમાર્ગમાં કહ્યું છે તેનું કારણ છે. કોઈ ઠેકાણે તો નિશ્ચય નયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો “સત્યાર્થ એમ જ છે” એમ જાણવું તથા કોઈ ઠેકાણે વ્યવહાર નયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું. અને એ પ્રમાણે જાણવાનું નામ બન્ને નયોનું ગ્રહણ છે. પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “આ પ્રમાણે પણ છે અને આ પ્રમાણે પણ છે' એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી. તેવી જ રીતે મોક્ષમાર્ગનું પણ નિશ્ચય-વ્યવહાર સ્વરૂપ આ રીતે સમજવું. પ્ર. ૧૨ : અજ્ઞાની નિશ્ચય તથા વ્યવહારને કેમ સમજે છે? ઉ. ૧૨ઃ જ્ઞાતા તો મોક્ષમાર્ગ સાધી જાણે, પણ મૂઢ મોક્ષમાર્ગ સાધી જાણે નહિ. શા માટે? મૂઢ જીવ આગમ પદ્ધતિને વ્યવહાર કહે છે અને અધ્યાત્મ પદ્ધતિને નિશ્ચય કહે છે, તેથી તે આગમ અંગને એકાંતપણે સાધી મોક્ષમાર્ગ દર્શાવે છે, અધ્યાત્મ અંગને વ્યવહારથી પણ જાણતો નથી. એ મૂઢ દષ્ટિ જીવનો સ્વભાવ છે. આગમ અંગ બાહ્ય ક્રિયારૂપ જે બતાવે છે તેનું સ્વરૂપ આદરવું તેને સુગમ છે, તે બાહ્ય ક્રિયા કરતો થકો મૂઢ જીવ પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને છે; પણ અંતર્ગર્ભિત અધ્યાત્મરૂપ પ્રક્રિયા જે અંતર્દષ્ટિગ્રાહ્ય છે તે ક્રિયાને મૂઢ જાણે નહિ, અંતર્દષ્ટિના અભાવથી અંતક્રિયા દષ્ટિગોચર આવે નહિ, તેથી મિથ્યાદૃષ્ટિ જીવ મોક્ષમાર્ગ સાધવા અસમર્થ છે. • “નય’ તે શ્રુતજ્ઞાનનો અંશ છે, સમ્યગ્દષ્ટિને શ્રુતજ્ઞાન હોય છે, (મિશ્રાદષ્ટિને કુશ્રુતજ્ઞાન હોય છે) તેથી ‘નય” પણ સમ્યગ્દષ્ટિને જ હોય છે. શુદ્ધ આત્માનો અનુભવ તે સાચો મોક્ષમાર્ગ છે, તેથી તેને નિશ્ચય કહ્યો છે. વ્રત-તપાદિ કાંઈ મોક્ષમાર્ગ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચારથી તેને વ્યવહાર કહ્યા છે. વ્યવહારને ઉપચારમાત્રમાની તે દ્વારા વસ્તુનો બરાબર (પરમાર્થ) નિર્ણય કરવો પણ જો નિશ્ચયની માફક વ્યવહારને પણ સત્યભૂત માની ‘વસ્તુ આમ જ છે' એવું શ્રદ્ધાન કરે તો તે અકાર્યકારી છે. નિશ્ચય ભૂતાર્થ છે - સત્યાર્થ છે. વ્યવહાર અભૂતાર્થ છે - અસત્યાર્થ છે. - વ્યવહારાવલંબી જીવ એમ માને છે કે “યથાયોગ્ય વ્રતાદિ ક્રિયા કરવી યોગ્ય છે; પરંતુ મમત્વ નકરવું'. હવે જેનો પોતે કર્તા થાય તેમાં મમત્વ કેવી રીતે ન કરે? જો પોતે કર્તા નથી તો ‘મારે કરવી યોગ્ય છે એવો ભાવ કેવી રીતે કર્યો ? આ રીતે અજ્ઞાનીના નિશ્ચય અને વ્યવહાર બન્ને જૂઠા છે. આ વાત યથાર્થ સમજવી. પ્ર. ૧૩ઃ નિશ્ચય-વ્યવહાર સંબંધી સમ્યગ્દર્શન પ્રગટ કરવામાં મહત્વના મુદ્દા ક્યા ધ્યાન રાખવા જેવા છે? ઉ. ૧૩ઃ નીચે જણાવેલ થોડીક અગત્યની વાતો વિચારવા જેવી છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy