________________
૪૭૬
૧૫ સ્વાનુભવની ભાવના: હે આત્મજિજ્ઞાસુ !
આત્મઅનુભવ માટેના પ્રયોગો જાણવાની તમારી ઉત્કંઠા તે એક એવો ભાવ છે કે જેમાં આગળ વધતાં અદ્ભુત ચૈતન્યતત્ત્વની અનુભૂતિ ચોક્કસ થાય છે. તેમાં જરૂરીઆત એટલી કે આત્માને જાણવાની જે ભાવના જાગી તેમાં પૂરી તાકાત લગાવીને આગળ ને આગળ વધ્યે જ જવું. બધી જ
પરિસ્થિતિમાં એને જ મુખ્ય રાખવું, એટલે એ જ પોતાનું જીવન છે એમ સમજવું. ૨. હવે જે આત્મવસ્તુને જેવી છે - અનુભવમાં લેવી છે તે વસ્તુ એવી અદ્ભુત સુંદર છે કે ચિત્ત તેની
નજીક આવતાં જ આખું જગત જાણે મનમાંથી દૂર હટી જાય છે ને સંસારના બધા ભાવોનો થાક ઉતરવા માંડે છે. એટલે કે ચિત્ત શાંત થઈને પોતાના આત્માના ચિંતનમાં એકાગ્ર થવા તત્પર થાય છે. અહીંથી ધ્યાન માટેના એટલે કે સમ્યગ્દર્શનરૂપ આત્મઅનુભવી માટેના પ્રયોગની શરૂઆત થવા માંડે
૩. આ પ્રયોગોનો પ્રારંભ થતાં જ, મુમુક્ષુ જીવને એક મહાન ફાયદો એ થયો કે તેનું ચિત્ત બીજે બધેથી હટીને અત્યંત રસપૂર્વક પોતાના ચૈતન્ય ભંડારમાંથી જ શાંતિનું વેદન લેવા પ્રયતનશીલ થયું.
શ્રદ્ધા અને જ્ઞાનની બધી જ તાકાતને તેમાં જ રોકી. અનંત તાકાતવાળો આત્મા પોતે જાગીને પોતાને સાધવા તૈયાર થયો. ધ્યાતા બનીને પોતે પોતાને જ ધ્યેયરૂપ કરવા માંડ્યો.
આ પ્રયોગની જેટલી ઉગ્રતા એટલો વિકલ્પોનો અભાવ. નિર્વિકલ્પ દશા ઊભી કરવાની આ ૮૮ સાચી રીત છે. ૪. બસ, હવે જીવને એમાં જ ઉપયોગ લગાવીને ચિંતન કરવાનું ગમે છે...એમાં જ મઝા આવે છે.
બહારની સામ્રગીમાં કે રાગાદિ ભાવોમાં કદી જે જાતની શાંતિનો સ્વાદ આવ્યો ન હતો, એવો કોઈ નવીન શાંતિનો સ્વાદ ચૈતન્ય ચિંતનમાં તેને આવવા લાગ્યો.
ક્યાંથી આવ્યો આ મધુર સ્વાદ? અંદરમાં પોતામાંથી જ તે સ્વાદ આવી રહ્યો છે. જ્યાંથી આ વાદ આવી રહ્યો છે ત્યાં ભરેલી અગાધ શાંતિ તરફ તે મુમુક્ષુ હવે ઊંડો ને ઊંડો ઊતરતો જાય છે. તેને
શાંતિનું વદન ચમત્કારિક રીતે વધતું જાય છે ને વિકલ્પો બધા શાંત થઈ જાય છે. ૫. હે આત્મપિપાસુ! આ એક અદ્ભુત કળા છે. આ કળા ફક્ત મુમુક્ષુને જ આવડે છે. બધાનું આ કામ નથી. જેના ફળમાં કલ્પનાતીત આનંદ થાય છે.
જુઓ! અત્યારે થોડીક વાર આવી આત્મભાવના કરી તેમાં પણ જગતના બધા સુખ-દુઃખો ભૂલાઈને, તમારા ચિત્તમાં શાંતિના કેવા ભણકારા આવવા લાગ્યા !
આના ઉપરથી જાત અનુભવ વડે તું વિશ્વાસ કર કે જે શાંતિને હું અનુભવવા માંગું છું તે બીજે