SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ છે તે તે વ્યવહાર નયનો વિષય છે. આ વ્યવહાર હેય છે. આ(સ્વભાવ) સિવાય બધું ય હેય છે. આ - (સ્વભાવ) તે ઉપાદેય છે. સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન અને આનંદએવી એક સ્વભાવી વસ્તુ (હું છું) તેની પર્યાયમાં જે વીતરાગતા આવે છે તે વીતરાગતા” અખંડ-અભેદ-એક સ્વભાવના લક્ષે આવે છે. એ સમ્યગ્દર્શન પણ વીતરાગતા છે. એમાં ‘સરાગ’ અને ‘વીતરાગ” એવા જે ભેદપાડ્યા તે તો ચારિત્રદોષની અપેક્ષાએ છે. બાકી સમકિત તો સરાગ-વીતરાગ છે જ નહિ. એ સમકિત તો નિર્વિકલ્પ સહજ જ્ઞાનાનંદ શુદ્ધ હું એક સ્વભાવી છું એવી અંતરમાં વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આ પૂર્ણ સ્વભાવ ષેય થઈને -જ્ઞાન થઈને- પ્રતીત કરવી તે છે. પ્રતીતિ-લક્ષ-અનુભવ. સ્વભાવમાં એક સમય માટે એકાગ્રતાથી અનુભવ થાય છે. ભગવાન આત્મા નિર્વિકલ્પ-વિકલ્પથી રહિત એટલે ભેદથી રહિત છે. એવી ‘નિર્વિકલ્પ-અભેદ વસ્તુ હું છું.” એવી દષ્ટિ થવી - અંતરમાં પરિણમવું એને અહીં સમ્યગ્દર્શન અને આત્માની ભાવના કહેવામાં આવે છે. હું અભેદ છું. પર્યાયનો ભેદ પણ તે સ્વરૂપ એકતામાં મારામાં નથી એવો હું છું. આત્મા’ જે નિર્વિકલ્પ અને એક સ્વભાવી છે, એના ઉપરથી ધર્મીની અંતર્મુખ દષ્ટિ એક સમય માત્ર પણ ખસતી નથી. નિર્વિકલ્પ હું છું એ અસ્તિથી વાત કરી. હું ઉદાસીન છું - ઉદ + આસીન = ઉદાસીન. મારી બેઠક તો ધ્રુવ ઉપર છે. કહે છે : હું પર્યાયથી ઉદાસ છું. મારી બેઠક પર્યાયમાં નથી. અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે ત્યાં મારી બેઠક છે. મારું અસ્તિત્વ તેટલું તે છે. બાકી હું તો પર્યાયથી પણ ઉદાસીન છું. છ દ્રવ્ય સ્વરૂપ લોક છે-શેય છે-વ્યક્ત છે. તે વ્યક્ત પ્રત્યે ઉદાસીન છું. મારું આસન ધ્રુવમાં છે. પરથી તો હું છું પણ પર્યાયથી પણ હું ઉદાસ છું. અનંત દુઃખ મિથ્યાત્વને (ખોટી માન્યતાને) લઈને છે. મિથ્યાત્વ જેવું પાપ નથી. મિથ્યાત્વ જેવો આસ્રવ નથી. મિથ્યાત્વ જેવો કોઈ અધર્મનથી. મિથ્યાત્વને તોડવાની આ વાત છે. આ ભાવના મિથ્યાત્વના ભુક્કા કરવા માટે છે. હું નિજ નિરંજન શુદ્ધાત્મા છું મારું જે અંજન વિનાનું, મેલ વિનાનું (સ્વરૂપ) શુદ્ધ આત્મા છું. મારા નાથને આવરણ નથી. જેમ કંચનને કાટ લાગતો નથી, અગ્નિને ઉધઈ લાગતી નથી. શુદ્ધ સ્વરૂપમાં અશુદ્ધતા ન હોય. શુદ્ધ સ્વરૂપમાં ઊણપ ન હોય. વસ્તુને - ભગવાન આત્માના સ્વભાવને – કોઈ અંજન મેલ છે જ નહિ. એવો વસ્તુનો જે સ્વભાવ - તે અંજન વિનાનો, મેલ વિનાનો, ઊણપ વિનાનો, આવરણ વિનાનો છે. ' 'શુદ્ધ આત્માના સમ્યક શ્રદ્ધાનરૂપ', એવા શુદ્ધાત્માની સમ્યક શ્રદ્ધા. (નિજ) નિરંજન શુદ્ધ આત્મા, એનું સમ્યક શ્રદ્ધાન, એની સાચી શ્રદ્ધા. જેવું આત્મસ્વરૂપ છે તેવી શ્રદ્ધા. જેવો ત્રિકાળી ઉદાસીન અને શુદ્ધ ચૈતન્યઘન આત્મા છે તેવો, તેનું શ્રદ્ધાન.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy