________________
૨૭ ૧૮) સંસારના ભેદ પાડતાં ભાવ પરિભ્રમણ તે નિશ્ચય સંસાર છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભવ પરિભ્રમણ તે નિમિત્તમાત્ર છે અર્થાત્ વ્યવહાર સંસાર છે, કેમ કે તે પરવસ્તુ છે. નશ્ચય એટલે ખરેખર અને વ્યવહાર એટલે કથનમાત્ર - ઉપચાર, નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટતાં ભાવ સંસાર ટળી જાય છે અને ત્યારથી બીજા ચાર નિમિત્તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભવરૂપ પરિભ્રમણનો
સ્વયં અભાવ થાય છે. ૧૯) જીવને ત્રસમાં એકી સાથે રહેવાનો ઉત્કૃષ્ટ કાળ માત્ર બે હજાર સાગર છે. જીવને ઘણું તો એકેન્દ્રિય અને તેમાં પણ ઘણો વખત નિગોદમાં જ રહેવાનું બને છે; ત્યાંથી નીકળી ત્રસ શરીર પામવું તે કાકતાલિયન્યાયવ છે. ત્રસમાં પણ મનુષ્યપણું પામવાનું તો ભાગ્યે જ બને છે. સંસારમાં જીવને મનુષ્ય ભવોમાં રહેવાનો કાળ સર્વથી થોડો છે. નારકીના ભાવોમાં રહેવાનો કાળ તેનાથી અસંખ્યાત ગુણો છે. દેવના ભવમાં રહેવાનો કાળ તેનાથી અસંખ્યાતગુણો છે. તિર્થી ભવોમાં (મુખ્યપણે નિગોદમાં) રહેવાનો કાળ તેનાથી અનંતગુણો છે. ૨૦) આમ આ મનુષ્ય ભવમાં જ આત્માનું સાચું સ્વરૂપ સમજીને જીવોને સમ્યકત્વ પ્રાપ્ત કરી લેવું જોઈએ નહિ તો ત્રસ કાળ થોડા વખતમાં પૂરો થઈને એકેન્દ્રિય - નિગોદ પર્યાય પ્રાપ્ત થશે અને અનંત કાળ તેમાં રહેવાનું થશે. સારે : આ મનુષ્યપણુ પામવું દુર્લભ છે એવો નિશ્ચય કરી હે ભવ્ય જીવો ! આ મિથ્યાત્વ અને કષાયને છોડો.
વસ્તુનું જેવું સ્વરૂપ છે એનું યથાર્થ સ્વરૂપ જાણી તેનું સત્ શ્રદ્ધાન કરવા જેવું છે. આ મનુષ્યપણું પામી જે ઇન્દ્રિય - વિષયોમાં રમે છે તે દિવ્ય અમુલ્ય રત્નને પામી ભસ્મને માટે બાળ છે.
તત્ત્વાર્થ શ્રદ્ધાન સ નમ્” -તત્ત્વ(વસ્તુ)ના સ્વરૂપસહિત અર્થ - જીવાદિ પદાર્થોની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે. સંસાર સમુદ્રથી રત્નત્રયીરૂપી જહાજને પાર કરવા માટે સમ્યગ્દર્શન ચતુર ખેવટિયો(નાવિક) છે. જે જીવ સમ્યગ્દર્શન પ્રગટ કરે છે તે અનંત સુખને પામે છે, જે જીવને સમ્યગ્દર્શન નથી તે પુણ્ય કરે તો પણ અનંત દુઃખ ભોગવે છે. માટે ખરું સુખ પ્રાપ્ત કરવા જીવોએ તત્ત્વનું સ્વરૂપ યથાર્થ સમજી સમ્યગ્દર્શન પ્રગટ કરવું. તત્ત્વનું સ્વરૂપ સમજ્યા વિના કોઈ જીવને
સમ્યગ્દર્શન થાય નહિ. જે જીવો તત્ત્વનું સ્વરૂપ યથાર્થપણે સમજે તેને સમ્યગ્દર્શન થાય જ. ૩. સ્વરૂપની સાચી સમજણ (સાત તત્ત્વોની યથાર્થ સમજણ)
૧) હું કોણ છું? અને મારું સાચું સ્વરૂપ શું છે ? એની સાચી સમજણ જીવે કરી કરી નથી. અનાદિથી પોતાના સાચા સ્વરૂપને ભૂલીને જીવે પોતાને પુણ્ય-પાપરૂપ અને શરીરરૂપ જ માન્યો છે, આ અગૃહીત મિથ્યાત્વ છે. અગૃહીત એટલે કોઈના ઉપદેશ વગર અનાદિથી ચાલી આવતી ભૂલ - તેને નૈસર્ગિક મિથ્યાદર્શન પણ કહેવાય છે. જીવસ્વભાવની આવી અનાદિની ભૂલ ઉપરાંત કુગુરુઓના ઉપદેશ વડે વીતરાગ દેવાદિથી વિપરીત એવી ખોટી માન્યતા ગ્રહણ કરે છે તે ગૃહીત