SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૩ ૩૯. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ સિવાયના બધાય પદાર્થો પર વિષયો છે, તેમના આશ્રયથી જે લાભ માને તેને પર વિષયોની પ્રીતિ છે. જે પોતાના સ્વભાવની પ્રતીત કરે તેને કોઈ પર વિષયોમાં સુખબુદ્ધિ રહેતી નથી. ૪૦. અહો ! મારા આત્મામાં સર્વજ્ઞતાનું સામર્થ્ય છે એમ જેણે પ્રતીત કરી તેણે તે પ્રતીત પોતાની શક્તિ સામે જોઈને કરી છે કે પર સામે જોઈને કરી છે ? આત્માની શક્તિની પ્રતીત આત્માને ધ્યેય બનાવીને થાય કે પરને ધ્યેય બનાવીને થાય ? કોઈ નિમિત્ત, રાગ કે અધૂરી પર્યાયના લક્ષે પૂર્ણ શક્તિની પ્રતીત થતી નથી પણ અખંડ સ્વભાવના લક્ષે જ પૂર્ણતાની પ્રતીત થાય છે. σε ૪૧. અરિહંત ભગવાન જેવી આત્માની સર્વજ્ઞશક્તિ પોતામાં ભરી છે. જો અરિહંત ભગવાન સામે જ જોયા કરે ને પોતાના આત્મા તરફ વળીને નિજ શક્તિને ન સંભાળે તો મોહનો ક્ષય થાય નહિ. જેવા શુદ્ધ અરિહંત ભગવાન છે તેવો જ હું છું એમ જો પોતાના આત્મા તરફ વળીને જાગે તો સમ્યગ્દર્શન પ્રગટીને મોહનો ક્ષય થાય છે, તેથી પરમાર્થે અરિહંત ભગવાન આ આત્માના ધ્યેય નથી, અરિહંત જેવા સામર્થ્યવાળો પોતાનો આત્મા જ પોતાનું ધ્યેય છે. અરિહંત ભગવાનની શક્તિ તેનામાં છે. તેમની પાસેથી કાંઈ આ આત્માની શક્તિ આવતી નથી, તેમના લક્ષે તો રાગ થાય છે. ૪૨. પ્રભો ! તારી ચૈતન્યસત્તાના અસંખ્ય પ્રદેશી ખેતરમાં અચિંત્ય નિધાન ભર્યા છે, નારી સર્વજ્ઞશક્તિ તારા નિધાનમાં જ પડી છે, તેની પ્રતીત કરીને સ્થિરતા દ્વારા તે ખોદે તો તારા નિધ નમાંથી સર્વજ્ઞતા પ્રગટે. આવી એલૌકિક કોઈ આ વિધિનું વિધાન છે. ૪૩. જેમ પૂર્ણતાને પામેલા જ્ઞાનમાં નિમિત્તનું અવલંબન નથી, તેમ નીચલી દશામાં પણ જ્ઞાન નિમિત્તને લીધે થતું નથી, એટલે ખરેખર પૂર્ણતાની પ્રતીત કરનારો સાધક જ્ઞાનને પરાવલંબને માનતો નથી, પણ સ્વભાવના અવલંબને માનીને સ્વ તરફ વાળે છે. ૪૪. સર્વજ્ઞ શક્તિવાળા પોતાના આત્મા સામે જુઓ તો સર્વજ્ઞતા મળે તેમ છે, પર સામે જોયે આત્માનું કાંઈ વળે તેમ નથી. અનંત કાળ પર સામે જોયા કરે તો ત્યાંથી સર્વજ્ઞતા મળવાની નથી, ને નિજ ભગવાન સામે જોઈને સ્થિર થતાં ક્ષણમાત્રમાં સર્વજ્ઞતા પ્રગટી જાય તેવું છે. ૪૫. સર્વજ્ઞતા પ્રગટ્યા પહેલાં સાધકદશામાં જ આત્માની પૂર્ણ શક્તિની પ્રતીત હોય છે. પૂર્ણ શક્તિની પ્રતીત કરીને તેનો આશ્રય લેવાથી જ સાધક દશા થઈને પૂર્ણ દશા પ્રગટે છે. ૪૬. ‘અહો ! મારું સર્વજ્ઞપદ પ્રગટાવવાની તાકાત મારા વર્તમાનમાં ભરી જ છે.’ આમ સ્વભાવ સામર્થ્યની શ્રદ્ધા કરતાં જ તે અપૂર્વ શ્રદ્ધા જીવને બહારમાં ઉછાળા મારતો અટકાવી દે છે ને તેના પરિણમનને અંતર્મુખ કરી દે છે. સ્વભાવ સન્મુખ થયા વિના સર્વજ્ઞ શક્તિની પ્રતીત થાય નહિ ૪૭. અંતર્મુખ થઈને સર્વજ્ઞ શક્તિની પ્રતીત કરતાં તેમાં મોક્ષની ક્રિયા-ધર્મની ક્રિયા આવી જાય છે. જે જીવ સ્વભાવ સન્મુખ થઈને તેની પ્રતીત કરતો નથી અને નિમિત્તની સન્મુખતાથી લાભ માને છે તે જીવને વિષયોમાંથી સુખબુદ્ધિ ટળી નથી ને સ્વભાવ બુદ્ધિ થઈ નથી.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy