SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૧ ૨૪. હે જીવ! જ્ઞાની તને તારો આત્મવૈભવ દેખાડે છે. પોતાના જ્ઞાનમાં જ સ્થિર રહીને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકો જાણે એવો જ્ઞાનવૈભવ તારામાં ભર્યો છે. જો તારી સર્વજ્ઞશક્તિનો વિશ્વાસ કર તો ક્યાંય ફેરફાર કરવાની બુદ્ધિ રહે નહિ. ૨૫. આત્મામાં સર્વજ્ઞશક્તિ છે તે આત્મજ્ઞાનમયી છે. આત્મા પરની સન્મુખ થઈને પાને નથી જાણતો પણ આત્મસન્મુખ રહીને આત્માને જાણતાં લોકાલોક જણાઈ જાય છે. માટે સર્વજ્ઞત્વશકિત આત્મજ્ઞાનમય છે. જેણે આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું. ૨૬. હે જીવ! તારા જ્ઞાનમાત્ર આત્માના પરિણમનમાં અનંત ધર્મો એક સાથે ઉછળી રહ્યા છે, તેમાં જ - ડોકિયું કરીને તારા ધર્મને શોધ, ક્યાંય બહારમાં તારા ધર્મને ન શોધ. તારી અંતરશક્તિના અવલંબને જ સર્વજ્ઞપણું પ્રગટ થશે. ૨૭. જેણે પોતામાં સર્વજ્ઞતા પ્રગટ કરવાની તાકાત માની તે જીવ દેહાદિની ક્રિયાનો જ્ઞાતા રહ્યો; પરની ક્રિયાને ફેરવવાની વાત તો દૂર રહી પણ પોતાના પર્યાયને આઘાપાછા ફેરવવાની પણ બુદ્ધિ તેને હોતી નથી. જ્ઞાન ક્યાંય ફેરફાર કરતું નથી, માત્ર જાણે છે. જેણે આવા જ્ઞાનની પ્રતીત કરી તેને સ્વસમ્મુખ દષ્ટિને લીધે પર્યાયે પર્યાયે શુદ્ધતા વધતી જાય છે ને રાગ છૂટતો જાય છે. આ રીતે જ્ઞાનસ્વભાવની દષ્ટિ તે મુક્તિનું કારણ છે. ૨૮. ‘સર્વજ્ઞતા” કહેતાં દૂરના કે નજીકના પદાર્થોને જાણવામાં ભેદન રહ્યા; પદાર્થ દૂર હો કે નજીક હો તેને લીધે જ્ઞાન કરવામાં કાંઈ ફેર પડતો નથી. દૂરના પદાર્થને નજીક કરવા કે નજીકના પદાર્થને દૂર કરવા તે જ્ઞાનનું કાર્ય નથી, પણ નજીકના પદાર્થની જેમ જ દૂરના પદાર્થને પણ સ્પષ્ટ જાણવાનું જ્ઞાનનું કાર્ય છે. ‘સર્વજ્ઞતા કહેતાં બધાને જાણવાનું આવ્યું પણ તેમાં ક્યાંય આ ઠીક અને આ અઠીક એવી બુદ્ધિ કે રાગ-દ્વેષ કરવાનું ન આવ્યું. ર૯. કેવળી ભગવાનને સમુઘાત થવા પહેલાં તેને જાણવારૂપ પરિણમન થઈ ગયું છે, સિદ્ધદશા થયા. પહેલાં તેનું જ્ઞાન થઇ ગયું છે, ભવિષ્યના અનંત અનંત સુખપર્યાયોનું વેદના થયા પહેલાં સર્વજ્ઞત્વશક્તિ તેને જાણવારૂપ પરિણમી ગઈ છે. આ રીતે જ્ઞાન ત્રણે કાળના પર્યાયોને જાણી લેવાના સામર્થ્યવાળું છે, પણ તેમાં કોઈ પર્યાયના ક્રમને આઘો પાછો કરીને ભવિષ્યમાં થનાર પર્યાયને વર્તમાનમાં લાવે એમ બની શકતું નથી. ૩૦. શ્રી આચાર્યદવ સર્વજ્ઞત્વશક્તિને ઓળખાવે છે કે હે જીવ! તારા જ્ઞાનનું કાર્ય તો માત્ર “જાણવું' તે જ છે. રાગ-દ્વેષ કરવાનું તો તારું સ્વરૂપ નથી અને અધુરું જાણવારૂપે પરિણમવું એવું પણ તારા જ્ઞાનનું મૂળ સ્વરૂપ નથી, સર્વને જાણવારૂપે પરિણમે એવું તારા જ્ઞાનનું પૂર્ણ સામર્થ્ય છે - આવી તારી જ્ઞાનશક્તિને ઓળખ તો સમ્યક શ્રદ્ધા-જ્ઞાન થઈને અપૂર્વ આનંદનો અનુભવ થાય ૩૧. મારા આત્મામાં સર્વજ્ઞત્વશક્તિ છે એમ જેણે સ્વીકાર્યું તેણે પોતાના સ્વભાવમાં રાગ-દ્વેષનો અભાવ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy