________________
૬) રાગ-દ્વેષ-મોહ ઉત્પન્ન થતાં નથી. ૭) ફરી કર્મ આસ્રવતું નથી. ૮) ફરી કર્મ બંધાતું નથી. ૯) પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું થયું નિર્જરી જાય છે. ૧૦) સમસ્ત કર્મોનો અભાવ થવાથી સાક્ષાત મોક્ષ થાય છે.
આવું જ્ઞાનસ્વરૂપ આત્માના આલંબનનું માહાત્મ છે. ૧૦ મતિ, ભુત અને અવધિજ્ઞાનમાં મિથ્યાપણું :
૧. મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન વિપર્યય પણ હોય છે. ૨. આ ત્રણ જ્ઞાન મિથ્યાજ્ઞાન પણ હોય છે, તે મિથ્યાજ્ઞાનને કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન અને કુઅવધિ
(વિભંગ) જ્ઞાન કહે છે. ૩. અનાદિ મિથ્યાદષ્ટિને કુમતિ અને કુશ્રુત હોય છે અને દેવ અને નારકીના ભાવમાં કુઅવધિ પણ હોય
છે. જ્યાં મિથ્યાદર્શન હોય છે ત્યાં મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર અવિનાભાવીપણે હોય છે. ૪. હવે એક પ્રશ્ન થાય છે સમ્યગ્દષ્ટિ જેમનેત્રાદિક ઇન્દ્રિયોથી રૂપાદિને સુમતિથી જાણે છે તેમ મિથ્યાષ્ટિ
પણ કુમતિજ્ઞાનથી તેને જાણે છે તથા જેમ સમ્યગ્દષ્ટિ શ્રુતજ્ઞાનથી તેને જાણે છે અને કથન કરે છે, તેમ મિથ્યાદષ્ટિ પણ કુશ્રુતજ્ઞાનથી જાણે છે અને કથન કરે છે તો મિથ્યાદષ્ટિના જ્ઞાનને મિથ્યાજ્ઞાન શા
માટે કહો છો? ૫. ઉત્તર પોતાની ઇચ્છા ધારા જેમ જેમ (whims) ગ્રહણ કરવાને કારણે વિદ્યમાન અને અવિદ્યમાન
પદાર્થોનું ભેદરૂપ જ્ઞાન (યથાર્થ વિવેક) ન હોવાને કારણે પાગલ પુરુષોના જ્ઞાનની માફક મિથ્યાદષ્ટિનું
જ્ઞાન વિપરીત અર્થાત્ મિથ્યાજ્ઞાન હોય જ છે. ૬. સુખના સાચા અભિલાષીએ તે મિથ્યાદર્શન પહેલું ટાળવું જોઈએ. એ સ્વરૂપ આ રીતે સમજાવવામાં
આવ્યું છે. ૭. મિથ્યાદષ્ટિ જીવ સ અને અસત્ વચ્ચેનો ભેદ (વિવેક) જાણતો નથી; તેથી સિદ્ધ થયું કે દરેક ભવ્ય
જીવે પ્રથમ સત્ શું અને અસત્ શું તેનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી મિથ્યાજ્ઞાન ટાળવું જોઈએ. ૮. જ્યાં સત્ અને અસતુ ભેદનું અજ્ઞાન હોય ત્યાં અણસમજણપૂર્વક પોતાને ઠીક પડે તેમ ગાંડા પુરુષની
માફક (મદિરા પીધેલાં માણસની માફક) ખોટી કલ્પનાઓ જીવ કર્યા જ કરે છે; તેથી એમ સમજાવ્યું
કે સુખના સાચા અભિલાષી જીવોએ સાચી સમજણ કરી ખોટી કલ્પનાઓનો નાશ કરવો જોઈએ. ૯. હવે જે વિપર્યય-વિપરીતતા તે ત્રણ પ્રકારે છે.
૧) કારણ વિપરીતતા ૨) સ્વરૂપ વિપરીતતા અને ૩) ભેદભેદ વિપરીતતા.