SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૫ ૬. પોતાની આ દશા જીવ પોતે કરતો હોવાથી તેને ટાળી શકે છે. એ ટાળવાનો ઉપાય સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન-સમ્યક્ઝારિત્ર' જ છે. ૭. જીવ ધર્મ કરવા માંગે છે પણ તેને સાચા ઉપાયની ખબર નહિ હોવાથી તે ખોટા ઉપાયો કર્યા વિના રહે નહિ; માટે જીવોએ આ મહાન ભૂલ ટાળવા માટે પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ. ૮. સમ્યજ્ઞાન સમ્યગ્દર્શનપૂર્વક જ હોય છે. સમ્યજ્ઞાનને કાર્ય અને સમ્યગ્દર્શનને કારણ કહે છે. સમ્યકત્વ પછી તરત જ જ્ઞાનની આરાધના થાય છે. ૯. મતિજ્ઞાન પદાર્થને તો જાણતું જ હતું, પરંતુ સમસ્કૃત્વ વિના જ્યાં સુધી મિથ્યાદર્શન - વિપરીત માન્યતા છે ત્યાં સુધી એ જ્ઞાનને પણ ‘મિથ્યાજ્ઞાન” જ કહેવામાં આવે છે. જેવું મિથ્યાદર્શનમાંથી સમ્યગ્દર્શન પ્રગટ થયું તે જ સમયે જે જ્ઞાન સમ્યફ વિના કુમતિ અને કુશ્રુત કે કુઅવધિ તરીકે ઓળખાતું હતું તે વખતે “સમ્યજ્ઞાન’ નામ પામે છે અને મતિ, શ્રુત કે અવધિજ્ઞાન કહેવામાં આવે છે. ૧૦. જ્ઞાન તો હતું પણ સમ્યકત્વપણું સમ્યકત્વથી થયું. માટે સમ્યકત્વ તો કારણરૂપ છે, સમ્યજ્ઞાન કાર્યરૂપ છે. માટે સમ્યકત્વ પછી જ જ્ઞાનની આરાધના યોગ્ય છે કારણ કે કારણથી કાર્ય થાય છે. ૧૧. ખરેખર સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન બન્ને એક સમયે ઉત્પન્ન થવાં છતાં પણ દીવો અને પ્રકાશની જેમ કારણ અને કાર્યની વિધિ સારી રીતે ઘટીત થાય છે. જેમ દીવો અને પ્રકાશ એક જ સમયે પ્રગટ થાય છે તો પણ દીવો પ્રકાશનું કારણ છે, પ્રકાશ કાર્ય છે, કેમ કે દીવાથી પ્રકાશ થાય છે. તેવી રીતે સમ્યગ્દર્શન સમ્યજ્ઞાનનું કારણ છે. સમ્યકત્વથી જ સમ્યજ્ઞાન નામ પામે છે. ૧૨. સમ્યજ્ઞાન એ આત્માના જ્ઞાનગુણનો શુદ્ધ પર્યાય છે. આત્માથી તે કોઈ જુદી ચીજ નથી, સમ્યજ્ઞાનનું સ્વરૂપ નીચે પ્રમાણે છે: જ્ઞાનું પુનઃ સ્વાર્થવ્યવસાયત્મિવિલું ! - તત્ત્વાર્થસાર. અર્થ સ્વ = પોતાનું સ્વરૂપ, અર્થ = વિષય, વ્યવસાય = યથાર્થ નિશ્ચય. જે જ્ઞાનમાં એત્રણ શરતો પૂરી પડતી હોય તે સમજ્ઞાન છે. અર્થાત્ જો જ્ઞાનમાં વિષય પ્રતિબોધ સાથે સાથે પોતાનું સ્વરૂપ પ્રતિભાસિત થાય અને તે પણ યથાર્થ હોય તો તે જ્ઞાન સમજ્ઞાન છે. ૩. પ્રમાણ અને નય : સમ્યગ્દર્શન-જ્ઞાન -ચારિત્રરૂપ રત્નત્રય અને જીવાદિ તત્ત્વોનું જ્ઞાન પ્રમાણ અને નયથી થાય છે. ૧. પ્રમાણ સાચા જ્ઞાનને - નિર્દોષ જ્ઞાનને અર્થાત્ સમજ્ઞાનને પ્રમાણ કહે છે. અનંત ગુણ યા ધર્મના સમુદાયરૂપ પોતાનું તથા પરવસ્તુનું સ્વરૂપ પ્રમાણ દ્વારા જાણવામાં આવે છે. પ્રમાણ વસ્તુના સર્વ દેશને (બધા પડખાને) ગ્રહણ કરે છે, જાણે છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy