________________
૩૮૧ કરે તો આ આત્મા, જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે એવા આત્માને પરપરિણતિના નિરોધથી
શુદ્ધ જ પ્રાપ્ત કરે છે. ૧૦. ક્રમબદ્ધ પર્યાય અને સમ્યક પુરુષાર્થ:
૧) “જે કાળે જે અવસ્થા થવાની સર્વજ્ઞ ભગવાને જોઈ તે કાળે તે જ અવસ્થા થાય, બીજી ન થાય” આમાં એકાંતવાદ કે નિયતવાદ નથી પરંતુ આમાં જ સાચો અનેકાંતવાદ અને સર્વજ્ઞતાની ભાવના તેમજ જ્ઞાનનો અનંતો પુરુષાર્થ આવે છે. ૨) કમબદ્ધનો નિયમ એવો છે કે જે તરફની રુચિ કરે તે તરફની કમબદ્ધ દશા થાય છે. જેને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થાય તેને દ્રવ્યની રુચિ થાય અને જેને દ્રવ્યની રુચિ થાય તેની કમબદ્ધ પર્યાય શુદ્ધ જ થાય. ૩) “સર્વજ્ઞ ભગવાને જાણ્યા પ્રમાણે ક્રમબદ્ધ પર્યાય થાય જ છે, તેમાં ફેર પડતો જ નથી” એટલું નક્કી કરવામાં તો દ્રવ્ય તરફનો અનંત પુરુષાર્થ આવી જાય છે. પર્યાયનો કમ ફેરવાતો નથી, પણ રુચિ સ્વ તરફ કરવાની છે. ૪) એકલા આત્મા તરફનો પુરુષાર્થ કરે ત્યારે જ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થાય છે. જેણે પોતાના આત્મામાં ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કર્યો કેઃ “અહો ! જડ અને ચૈતન્ય બધાની અવસ્થા ક્રમબદ્ધ
સ્વયં થયા કરે છે, હું પરમાં શું કરું? હું તો માત્ર જેમ થાય તેમ જાણું એવું મારું સ્વરૂપ છે. આવા નિર્ણયમાં પરની અવસ્થા ઠીક-અઠીક માનવાનું ન રહ્યું પણ જ્ઞાતાપણું રહ્યું એટલે ઊંધી માન્યતા અને અનંતાનુબંધી કષાય નાશ થયા. અનંત પરદ્રવ્યના કર્તૃત્વપણાની મહા મિથ્યાત્વ ભાવ ટળીને પોતાના જ્ઞાતાસ્વભાવની અનંતી દઢતા થઈ આવો સ્વ તરફનો અનંત પુરુષાર્થ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધામાં થયો છે. ૫) પરની અવસ્થા તેના ક્રમ પ્રમાણે થયા જ કરે છે, હું પરનું કરતો નથી એમ નકકી કર્યું એટલે બધા પદ્રવ્યનું અભિમાન ટળી ગયું. ૬) ઊંધી માન્યતાથી પરની અવસ્થામાં ઠીક-અઠીકપણું માનીને જે અનંતાનુબંધી રાગ-દ્વેષ કરતો હતો તે ટળી ગયો. ૭) આ રીતે ક્રમબદ્ધ પર્યાયિની શ્રદ્ધા કરતાં પર દ્રવ્યના લક્ષથી ખસીને પોતે પોતાના રાગ-દ્વેષ રહિત જ્ઞાતાસ્વભાવમાં આવ્યો એટલે કે પોતાના હિત માટે પરમાં જોવાનું અટકી ગયું અને જ્ઞાન પોતા તરફ વળ્યું; હવે પોતાના દ્રવ્યમાં પણ એક પછી એક અવસ્થા ક્રમબદ્ધ થાય છે; હું તો ત્રણે કાળની ક્રમબદ્ધ અવસ્થાઓના પિંડરૂપ દ્રવ્ય છું, વસ્તુ તો જ્ઞાતા જ છે, એક અવસ્થા જેટલી વસ્તુ નથી; અવસ્થામાં રાગ-દ્વેષ થાય તે પરવસ્તુના કારણે નથી પણ વર્તમાન અવસ્થાની નબળાઈ છે, તે નબળાઈ ઉપર પણ જોવાનું ન રહ્યું, પણ પુરુષાર્થથી પરિપૂર્ણ જ્ઞાતાસ્વરૂપમાં જ જોવાનું રહ્યું, તે સ્વરૂપના લક્ષે પુરુષાર્થની નબળાઈ અલ્પ કાળમાં તૂટી જવાની છે.