SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૧ ૧. સ્વ-પર પ્રકાશક ....... ખાલી પ્રમાણરૂપ વ્યવહાર.......પ્રતિભાસની મુખ્યતાથી ૨. સ્વ-પર પ્રકાશક ........ નિશ્ચય.. .......ઉપાદેયની મુખ્યતાથી ૩. સ્વ-પર પ્રકાશક ....... નિશ્ચય...............................જાણવાની મુખ્યતાથી ૪. સ્વ-પર પ્રકાશક ....... નિશ્ચયપૂર્વકના વ્યવહારરૂપ છે.......જાણવાની મુખ્યતાથી. ૧૦) સાધકની સવિકલ્પ દશા સાધક કહે છે કોણ જાણે છે પરને? ભાવેન્દ્રિય, બુદ્ધિ જાણે છે પરને. મારી શુદ્ધ પરિણતિ મારાથી અભેદ હોવાથી તે પણ પરને જાણતી નથી. એક જ્ઞાનની પર્યાયના બે ભાગ પડી ગયા છે. જ્ઞાનધારા અને કર્મધારા અર્થાત્ યધારા. બન્નેનું પરિણમન સ્વતંત્ર છે. માત્ર કથન પદ્ધતિ સાપેક્ષ છે. પણ પરિણમન નિરપેક્ષ છે. આમ જ્ઞાનનો એક સમયમાં ત્રિમુખી સ્વભાવ છે. ૧) લક્ષમાં અંતર્મુખતા ૨) જ્ઞાનત્વ અર્થાત્ જેમાં જાણવું તેમાં અંતર્મુખતા અને ૩) પ્રતિભાસના સ્વભાવમાં પણ અંતર્મુખતા રહેલી છે. જ્ઞાનના એક પણ અવિભાગ પ્રતિચ્છેદમાં બહિર્મુખતા નથી. આમ એક જ્ઞાનની પર્યાયમાં ત્રિવેણી સંગમ છે. “જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી.” આમાં પણ ખરેખર પર જણાતું નથી તેમાં પ્રતિભાસને સ્થાપ્યો અને લક્ષને મૂળમાંથી ઉથાપ્યું છે. આમ સંપૂર્ણ જૈનદર્શનનું રહસ્ય છે. જ્ઞાન પરને લક્ષ કરીને જાણે નહિ, જ્ઞાન પરમાં જણાય નહિ છતાં જણાયા વિના રહે પણ નહિ. સંપૂર્ણ પ્રક્રિયા: સારભૂત:૧. મોક્ષનો ઉપાય (પુરુષાર્થની મુખ્યતા) ૧) મોક્ષનો ઉપાય થવામાં પાંચ બાબતો એકી સાથે હોય છે, એટલે કે જીવ જ્યારે પોતાના જ્ઞાયક સ્વભાવ સન્મુખ થઈ પુરુષાર્થ કરે ત્યારે આ પાંચ બાબતો - (૧) સ્વભાવ (૨) પુરુષાર્થ (૩) કાળલબ્ધિ (૪) ભવિતવ્ય (૫) નિમિત્ત (કર્મની ઉપશમાદિ અવસ્થા) ધર્મ કરનારને એકી સાથે હોય છે. તેથી તેને પાંચ સમવાય (મેળાપ, એકઠાપણું) કહે છે. ૨) આ પાંચને સર્વાગી માનવા તે શિવમાર્ગ છે અને કોઈ એકને જ માનવું તે પક્ષપાત હોવાથી મિથ્થામાર્ગ છે. ૩) આમાં કાળલબ્ધિ તે કોઈ વસ્તુ નથી પણ જે કાળમાં કાર્ય બને તે જ કાળલબ્ધિ છે. છયે દ્રવ્યોમાં તે દરેક સમયે હોય છે. બધાય પદાર્થો કાળાદિ લબ્ધિ સહિત અનેક પ્રકારની શક્તિ સહિત છે, તેમ જ સ્વયં પરિણમન કરે છે, તેને તેમ પરિણમન કરતાં રોકવા કોઈ સમર્થ નથી. ૪) કાળલબ્ધિ પાકશે ત્યારે જ ધર્મ થશે એ માન્યતા બરાબર નથી. એ મિથ્યા માન્યતા છે, કેમ કે તેમ માનનાર જીવે પોતાનો જ્ઞાયક સ્વભાવ, પુરુષાર્થ આદિ પાંચ સમવાયને એકી સાથે માન્યા નહિ પરંતુ એક કાળને જ માન્યો. તેથી તે માન્યતાવાળા એકાંત કાળવાદી ગૃહીત મિથ્યાદષ્ટિ કહ્યા છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy