SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૯ આ કાર્ય સ્વાભાવિક છે કેમ કે આત્મા અને જ્ઞાન અવ્યતિરેક છે, તત્ સ્વરૂપે છે. આ વાત લક્ષના સ્વભાવથી છે. અહીંયા પ્રતિભાસ ગૌણ છે. જ્ઞાન શેયનું લક્ષ ક્યારે કરે, પોતાને જાણવાથી વ્યુત થાય તો ? જ્ઞાન શેયનું લક્ષ કદી કરતું જ નથી; અને પોતાને જાણવાથી કદી ચુત થયું જ નથી. ૨) ભાવેન્દ્રિયો ખરેખર તો જોય છે. અને શેયને જ્ઞાન માનવું તે જ્ઞાન સંબંધી ભૂલ છે. છ દ્રવ્યો જોય છે. તેને લક્ષ કરીને જાણનાર ખરેખર શેય છે અને તેને જ શેય માનવું તે શેય સંબંધી ભૂલ છે. અરે ! જેને જ્ઞાન માને છે તે તો આત્માથી સર્વથા ભિન્ન જોય નીકળ્યું. ઇન્દ્રિયજ્ઞાન અને જ્ઞાન બન્નેના નામ નિક્ષેપમાં, બન્નેની રાશિમાં જ્ઞાન છે, પણ એક શેય છે અને બીજું જ્ઞાન છે. ઇન્દ્રિયજ્ઞાનમાં ચેતના વ્યાપતી નથી, તેમાં જ્ઞાનનો અંશ નથી, તેથી તે જ્ઞાન નથી પણ શેય છે. જોય... શેયરૂપ રહે છે, શેય જ્ઞાનરૂપ થતું નથી. જ્ઞાન.....જ્ઞાનરૂપ રહે છે, જ્ઞાન શેયરૂપ થતું નથી. ૩) જીવનું વિશેષ ચેતના છે. ભાવેન્દ્રિય જીવનું વિશેષ નથી. જીવના વિશેષમાં માત્ર જીવ જ જણાય છે. તે જીવને જ પ્રસિદ્ધ કરે છે. અને ભાવેન્દ્રિય અજીવનું વિશેષ હોવાથી તે અજીવને પ્રસિદ્ધ કરે છે. ૪) ભેદજ્ઞાન ક્યાં કરવું અને કેવી રીતે કરવું? જ્ઞાયક સ્વરૂપ જેવું છે. તેનું લક્ષણ ઉપયોગ બધાને પ્રગટ થાય છે. અને તેમાં સ્વ-પરની જ્ઞપ્તિ થાય છે. (પ્રતિભાસ થાય છે.) તે જ્ઞાન સ્વચ્છ છે પણ સમ્યક નથી અને મિથ્યા પણ નથી. હવે આ શેયાકાર જ્ઞાનના વિષયભેદે ભેદ પડી જાય છે. જો સ્વને વિષય કરે તો સમ્યકજ્ઞાન, પરને વિષય કરે તો મિથ્યાજ્ઞાન. પરંતુ સ્વ-પર પ્રતિભાસવાળી પર્યાય પ્રમાણજ્ઞાનરૂપ હોવાથી તેમાં અસ્તિ-નાસ્તિ અનેકાન્ત પ્રજ્ઞા વડે; વિધિ-નિષેધ કરી, નિશ્ચય કાઢવું જોઈએ. પ્રતિભાસ બે નો અને લક્ષ એકનું. પરપદાર્થોનો પ્રતિભાસ દેખીને, તેનું લક્ષ કરી લ્ય છે, તેથી અજ્ઞાન ઉત્પન્ન થાય છે. હવે પોતાની યોગ્યતા અને ગુરૂગમે તેને ખ્યાલ આવે છે કે મને ‘જાણનારો જણાય છે; અને ખરેખર પર જણાતું નથી” આમાં પ્રયોજનની સિદ્ધિ થાય છે. જ્ઞાન પરથી નથી થતું એમાં પરનું લક્ષ છૂટી જાય છે. અને જ્ઞાન જ્ઞાયકથી પણ થતું નથી તેમાં જ્ઞાયકનું લક્ષ થઈ જાય છે. ૫) જૈન દર્શનમાં જાણવું' શબ્દનો અર્થ ત્રણ રીતે થાય છે. (૧) પ્રતિભાસને પણ જાણવું કહેવાય છે. (૨) લક્ષ માટે પણ જાણવું કહેવાય. (૩) લક્ષનું ફળ જ્ઞાનત્વ, તેના માટે પણ જાણવું શબ્દ વપરાય છે. આમ ત્રણે ધર્મો માટે જાણવું શબ્દનો પ્રયોગ થાય છે. એક સમયની એક જ જ્ઞાન પર્યાયમાં આ ત્રણે ધર્મો યુગપદ્ રહેલાં છે. આખા જગતને જાણવું' જે જ્ઞાનત્વનો સ્વભાવ છે તેની જ ખબર છે. જ્ઞાનનો લક્ષરૂપ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy