________________
૩૪૧ વગરનું રહે અને તો પછી વર્તમાન વિશેષજ્ઞાન વગર સામાન્યજ્ઞાન જાણે કોને ? વિશેષજ્ઞાન ન હોય તો સામાન્યજ્ઞાન જ ક્યાં રહ? મન પવિભાજીરાવડાખiડ છે. વિશેષ લખી “સામાન્યજ્ઞાન છે” એમ તેનો નિર્ણય કોણ કરશે? નિર્ણય તો વિશેષજ્ઞાન કરે છે. વર્તમાન વિશેષજ્ઞાન (પર્યાય) દ્વારા પરાવલંબન રહિત સામાન્યજ્ઞાન સ્વભાવ જેમ છે તેમ જાણવો તેમાં જ ધર્મ સમાઈ જાય છે.
રાગ થાય તેને જાણે, પરને જાણે, ઇન્દ્રિયને જાણે પણ તે કોઈને પોતાનું ન માને એવો જ્ઞાનનો સ્વભાવ છે. વિકારને કે પરને પોતાનું ન માને તેને દુઃખ જ ન હોય. મારા જ્ઞાન ને કોઈ પરાવલંબન નથી એમ સ્વાધીન જ્ઞાનસ્વભાવના શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા કરે તો તેને સ્વભાવમાં શંકા કે દુઃખ જ ન હોય. કેમ કે જ્ઞાનસ્વભાવ પોતે સુખરૂપ છે.
નિગોદથી માંડીને સર્વ જીવોમાં કોઈ પણ જીવ ઇન્દ્રિયથી જાણતો નથી. નિગોદનો જીવ કે જેને સૌથી ઓછું જ્ઞાન છે તે પણ સ્પર્શ ઇન્દ્રિયથી જાણતો નથી, પરંતુ પોતાના સામાન્યજ્ઞાનના પરિણમનથી થતાં વિશેષજ્ઞાન વડે જાણે છે. છતાં પણ અજ્ઞાની એમ માને છે કે ઇન્દ્રિયથી મને જ્ઞાન થયું. જ્યારે જીવને સામાન્ય જ્ઞાનસ્વભાવના અવલંબને (સામાન્ય તરફની એકાગ્રતાથી) વિશેષજ્ઞાન થાય છે ત્યારે તે સમ્યક મતિજ્ઞાન રૂપ થાય છે તે મતિજ્ઞાનરૂપ અંશમાં. પરાવલંબન વગર, નિરાવલંબી જ્ઞાનસ્વભાવની પૂર્ણતાની પ્રત્યક્ષતા આવી જાય છે.
આત્માનો જ્ઞાનસ્વભાવ કોઈ સંયોગના કારણે નથી. આવા સ્વાધીન જ્ઞાનસ્વભાવને ન જાણે તો ધર્મ થાય નહિ. ધર્મ ક્યાંય બહારમાં નથી, પણ પોતાનો જ્ઞાનાનંદ સ્વભાવ જ ધર્મસ્વરૂપ છે. આમાં તો બધાય શાસ્ત્રોનું રહસ્ય આવી ગયું. કોઈ કોઈનું કાંઈ ન કરી શકે એ વાત પણ આમાં આવી જગઈ. જડ ઇન્દ્રિય આત્માના જ્ઞાનની અવસ્થાને કરે નહિ અને આત્માનું જ્ઞાન પરનું ન કરે. આવી રીતે જ્ઞાનસ્વભાવની સ્વતંત્રતા આવી.
બધા સમ્યક મતિજ્ઞાનીઓનું જ્ઞાન નિમિત્તના અવલંબન વગર સામાન્ય સ્વભાવના અવલંબનથી કાર્ય કરે છે. તે કારણે જ્ઞાનીને સર્વ નિમિત્તોના અભાવમાં સંપૂર્ણપણે પરની સહાય વિના સામાન્ય સ્વભાવના અવલંબને વિશેષરૂપ જે પૂર્ણ પ્રત્યક્ષ કેવળજ્ઞાન છે તેનો નિર્ણય વર્તમાન મતિજ્ઞાનના અંશ દ્વારા થઈ શકે છે. જો પૂર્ણ અસહાય એવો જ્ઞાનસ્વભાવ મતિજ્ઞાનના નિર્ણયમાં ન આવે તો, વર્તમાન વિશેષ અંશરૂપ જ્ઞાન (મતિજ્ઞાન) પરના અવલંબન વગરનું પ્રત્યક્ષરૂપ છે તેનો નિર્ણય પણ ન થાય. સામાન્ય સ્વભાવના આશ્રયે જે વિશેષરૂપ મતિજ્ઞાન પ્રગટ્યું તે મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે. અંશ જે પ્રગટ્યો છે તે અંશીના આધાર વગર હોય નહિ, તેથી અંશીના નિર્ણય વગર અંશનો નિર્ણય થાય નહિ.
સામાન્ય સ્વભાવની પ્રતીત કરતું વર્તમાન નિર્મળ સ્વાવલંબી જ્ઞાન પ્રગટ્યું તે સાધક છે. અને તે પૂર્ણ સાધ્યરૂપ કેવળજ્ઞાનને પ્રત્યક્ષ જાણતું પ્રગટ થાય છે. તે સાધકજ્ઞાન સ્વાધીન પણે પોતાના