SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ પર્યાય પ્રગટે છે. પર્યાયમાં એનો આદર, વિચાર, જ્ઞાન કરે તો પામે એવી આ આત્માની વાત છે. “શુદ્ધ, બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ.’’ ૨૦. સર્વજ્ઞ પરમેશ્વર પર્યાયે ‘ચિદાનંદ’ છે, એમ ભગવાન આત્મા શક્તિએ ‘ચિદાનંદ’ છે. ચિદાનંદ સ્વભાવ છે તો ચિદાનંદ પર્યાય પ્રગટ થાય છે. ભગવાન આત્મા પણ પૂજનીય - ‘અદ્વૈત’ છે. પૂજનાર પર્યાય છે, પૂજવા યોગ્ય ભગવાન આત્મા છે. ૨૧. ‘હું શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ છું’ ને ? અહાહા...! આચાર્ય દેવ કહે છે - આત્માનો જે ‘જ્ઞ’ સ્વભાવ - તેની મને દૃષ્ટિ અને આશ્રય છે, તેથી પર્યાયમાં જે વિશુદ્ધિ - નિર્મળતા છે તે વધીને પરમ વિશુદ્ધિ થશે એમ નિશ્ચય થયો છે. અહાહા...! શું અપ્રતિહત દષ્ટિ ! શું ચૈતન્યના અનુભવની બલિહારી !! અને શું ચૈતન્યના પૂર્ણ સ્વભાવના સામર્થ્યની ચમત્કારી રમત !!! ૨૨. પ્રભુ ! તું સાંભળ. તું સર્વજ્ઞ સ્વરૂપી છો કે નહિ ? નાથ ! તું કોણ છો અને કેવડો છો ? તું જેવો છો તેવો ખ્યાલમાં આવી જાય તો ક્રમબદ્ધ, અકર્તાપણું અને જ્ઞાતાપણું સિદ્ધ થઈ જાય. આમાં નિયતવાદ છે, પણ પાંચેય સમવાય એકી સાથે છે. સ્વભાવ, પુરુષાર્થ, ભવિતવ્ય, કાળલબ્ધિ અને નિમિત્ત. ૨૩. સમકિતી વસ્તુ તરીકે પોતાને પ્રભુ માને છે, પણ પર્યાયમાં પોતાને તૃણ તુલ્ય પામર માને છે. ક્યાં કેવળજ્ઞાનની દશા અને ક્યાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના અભાવપૂર્વકની ચારિત્ર દશા ? દ્રવ્ય તરીકે હું પૂર્ણ પ્રભુ છું, એ મારું લક્ષ્ય છે. પર્યાયમાં પામરતા છે, તૃણતુલ્ય છું, છતાં અંતર સ્વભાવ સન્મુખ થવામાં જ પ્રયત્નની દશા છે. એ શુદ્ધ સ્વભાવની એકાગ્રતાના બળે સર્વ કષાયનો નાશ થઈ મને પરમ વિશુદ્ધિ થશે એ નિશ્ચિત છે. પર્યાયમાં અશુદ્ધતા છે એ મારાથી મારામાં વ્યાપ્ત છે. તેમાં મોહ કર્મ નિમિત્ત છે. કર્મનો થોડો બંધ પણ થાય છે. છતાં દૃષ્ટિનું જોર તો ધ્રુવ ઉપર છે, અને પર્યાયમાં શુદ્ધતા અને અશુદ્ધતા બન્ને અંશોનું જ્ઞાન યથાર્થ વર્તે છે. ૨૪. શુદ્ધ દ્રવ્યનું જેને પ્રયોજન છે એટલે જે જ્ઞાનમાં, શુદ્ધ પૂર્ણ દ્રવ્ય સ્વભાવ-જ્ઞાયક-વીતરાગસ્વભાવધ્રુવ એકરૂપ સ્વભાવનું જ પ્રયોજન છે એવા દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ હું ‘શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ છું.’ બધા સમ્યગ્દષ્ટિ પોતાને દ્રવ્યદૃષ્ટિએ શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ માને છે. ૨૫. અનાદિનો જે અજ્ઞાન ભાવ તેનો દ્રવ્યના આશ્રયે નાશ કરી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટ કર્યું ત્યાં સાધક ભાવની શરૂઆત થઈ ત્યાંથી માંગળિક અને ધર્મની શરૂઆત થાય છે. ૨૬. અનંત સિદ્ધોને ભાવ અને દ્રવ્ય સ્તુતિથી નમસ્કાર એટલે શું ? અંદર ભાવથી એટલે જ્ઞાયકની સન્મુખ ધઈને - એમાં એકાકાર થઈને સ્તુતિ કરે છે; તથા દ્રવ્યથી એટલે વિકલ્પથી સ્તુતિ કરે છે. અંદરમાં પોતાના શુદ્ધ ચૈતન્ય તરફનું પરિણમન થયું એ ભાવ નમસ્કાર છે અને સિદ્ધ ભગવાન આવા છે એવો તેમના સ્વરૂપનો વિચાર વિકલ્પ ઊઠવો એ દ્રવ્યનમસ્કાર છે. ૨૭. ચિત્માત્ર આત્મા કે જે દ્રવ્યાર્થિક નયનો - નિશ્ચય નયનો અને સમ્યગ્દર્શનનો વિષય છે તે તો એક સ્વરૂપે જ છે, ત્રણરૂપે નહિ. ત્રણરૂપે પરિણમન છે એમ કહેવું એ અસત્યાર્થ નયથી કહેવામાં આવે
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy