SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ૯પાદેય કરતાં પર્યાયમાં જ્ઞાન સમ્યક થાય અને સાથે આનંદ પ્રગટ થાય. એને શુદ્ધ આત્મા જાણ્યો અને માન્યો કહેવાય. ૫. સાર કાઢવાનો એ જ કે પોતાનો શુદ્ધ આત્મા એક જ ઉપાદેય છે. પર્યાયમાં રાગ હોવા છતાં ભગવાન આત્મા તો પૂર્ણાનંદનો નાથ છે. પર્યાય તરફના વલણને લક્ષને છોડીને એક સમયની પર્યાયથી પણ અધિક અને રાગની પર્યાયથી પણ અધિક (ભિન્ન) એવા આત્મ-ભગવાનનો આશ્રય કરવો એ એને નમસ્કાર છે! પરદ્રવ્યને નમસ્કાર કરવા એ તો વિકલ્પ છે - રાગ છે, એ કાંઈ ધર્મ નથી. ભગવાન આત્માને પર્યાયના ભેદ સહિત જાણવો તે ઉપાધિ છે, અશુદ્ધતા છે, મલિનતા છે; તે વ્યવહાર નયનો વિષય છે, અને આત્માને પર્યાયથી ભિન્ન એક શુદ્ધાત્મ સ્વરૂપે જાણવો એ શુદ્ધ છે, નિશ્ચય છે, નિરુપાધિ છે. શુદ્ધ પોતે ત્રિકાળ ધ્રુવ છે તેને પર્યાયમાં સ્વીકારે ત્યારે સાચું જ્ઞાન થયું અને સાચું સુખ થાય, ત્યારે તેને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને શાંતિ થાય. ૭. પોતાનો ભગવાન શુદ્ધ ચૈતન્ય વસ્તુ એનો પર્યાયમાં આદર કર્યો ત્યારે પર્યાયમાં જે અનુભૂતિ થઈ તે પર્યાયે સિદ્ધ કર્યું કે સ્વાનુભૂતિની પર્યાયમાં તે પ્રકાશે છે. દ્રવ્ય દ્રવ્યથી પ્રકાશતું નથી, દ્રવ્ય ગુણથી પ્રકાશતું નથી કારણ કે બન્ને ધ્રુવ છે. તે સ્વાનભૂતિની પર્યાય દ્વારા પ્રકાશે છે. આવો માર્ગ છે, ભાઈ ! ૮. અહા! આ બધા જૈન કુળમાં જન્મયા તેમને પણ ખબર નથી કે જેને શું કહેવાય? જેને કોઈ સંપ્રદાયનથી. ગુણ સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યઘન તેને જે પર્યાયમાં ઉપાદેય કરી અનુભવે તેણે રાગ અને અજ્ઞાનને જીત્યા, તેને જૈન કહેવાય છે. ૯. ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પોતાની અનુભવરૂપ ક્રિયાથી - સ્વને અનુસરીને થતી પરિણતિથી - શુદ્ધ ચૈતન્યની નિર્મળ અનુભૂતિથી જણાય એવો છે. રાગથી પ્રકાશે એવો આત્મા નથી. તેને રાગની કે નિમિત્તની અપેક્ષા છે જ નહિ. અહીંઅનુભૂતિરૂપ ક્રિયા તે વ્યવહાર છે, તેમાં નિશ્ચય ધ્રુવ આત્મા જણાય છે. અનુભૂતિ તે અનિત્ય પર્યાય, નિત્યને જાણે છે. નિત્ય નિત્યને શું જાણે? પર્યાયને દ્રવ્ય જે Lય છે તે પર્યાયમાં જણાય છે. ૧૦. નિશ્ચય સમસ્વરૂપના અનુભવ સહિત પ્રતીતિ થવી તે નિશ્ચય સમકિત છે. એની સાથે દેવ-શાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો જે રાગ આવે તેને વ્યવહાર સમકિત કહેવામાં આવે છે. પણ એ છે તો રાગ; કાંઈ સમકિતની પર્યાય નથી. વ્યવહાર સમકિત હોય તો નિશ્ચય સમકિત થાય એમ નથી. વ્યવહાર સમકિત એ સમકિત જ નથી, એ તો રાગની પર્યાય છે. ૧૧. ભગવાન આત્માની સમ્યગ્દર્શનની પર્યાય સ્વદ્રવ્યના આશ્રયે ઉત્પન્ન થાય છે, તેને વ્યવહારની અપેક્ષા નથી. નિરપેક્ષપણે સ્વના આશ્રયે થાય છે. સમ્યગ્દર્શનની પર્યાયને, વસ્તુ જે ઉપાદેય છે એનો આશ્રય છે એમ કહેવું એ તો એના તરફ પર્યાય ઢળી છે એ અપેક્ષાએ કહેવામાં આવે છે. સમ્યગ્દર્શનની પર્યાયના ષટકારકના પરિણમનમાં પરની તો અપેક્ષા નથી, પણ દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી. એક સમયની પર્યાય સ્વતંત્ર પોતાના ષટકારકથી કર્તા-કર્મ આદિથી થાય છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy