________________
૨૮૫ કારણ થાય એવો તેનો સ્વભાવ નથી, તેમજ પર તેનું કાંઈ કરે કે પોતે પરનું કારણ બનાવે એવો પણ સ્વભાવ નથી. આ રીતે અકાર્ય-કારણ સ્વભાવ છે. ૩૪) ક્રમબદ્ધમાં મોટો પ્રશ્ન છે કે “તો પછી પુરુષાર્થ ક્યાં રહ્યો ?’ આ નિર્ણય કર્યો ત્યાં એકલું જ્ઞાતાપણું જ રહ્યું, એટલે પરમાં ફેરફાર કરવાની બુદ્ધિથી ખસીને પુરુષાર્થનું જોર સ્વભાવ તરફ વળી ગયું. આ રીતે જ્ઞાન સાથે વીર્યગુણ (પુરુષાર્થ)પણ ભેગો જ છે. જ્ઞાનની ક્રમબદ્ધ પર્યાય સાથે સ્વભાવ તરફનો પુરુષાર્થ પણ ભેગો જ વર્તે છે. ક્રમબદ્ધના સિદ્ધાંતમાં પુરુષાર્થ કાંઈ જુદો નથી રહી જતો. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરીને જ્ઞાન સ્વ તરફ વળ્યું ત્યાં તેની સાથે વીર્ય, સુખ, શ્રદ્ધા, ચારિત્ર, અસ્તિત્વ વગેરે અનંત ગુણો એક જ સમયે પરિણમે છે, માટે આમાં પુરુષાર્થ પણ ભેગો જ છે.
પર્યાય ક્રમબદ્ધ હોવા છતાં શુદ્ધ સ્વભાવના પુરુષાર્થ વિના શુદ્ધ પર્યાય કદી થતી નથી. જ્ઞાન સ્વભાવની પ્રતીતનો અપૂર્વ પુરુષાર્થ કરે તેને જ સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય ક્રમબદ્ધ થાય છે.
જેનો પુરુષાર્થ જ્ઞાયક તરફ વળ્યો તેને જ ક્રમબદ્ધની શ્રદ્ધા થઈ. અહો! હું જ્ઞાયક છું, જ્ઞાન જ મારો પરમ સ્વભાવ છે, એવા નિર્ણયનો અંતરમાં પ્રયત્ન કરે તેને એમ નક્કી થઈ જાય કે વસ્તુનો આવો સ્વભાવ છે ને સર્વજ્ઞદેવે કેવળજ્ઞાનથી આમ જ જાણ્યું છે. જે જીવે પોતાના જ્ઞાનમાં આવો નિર્ણય કર્યો તેને સર્વજ્ઞથી વિરુદ્ધ કહેનારા (એટલે કે નિમિત્તને લીધે કાંઈ ફેરફાર થાય કે રાગથી ધર્મ થાય એવું મનાવનાર) કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રની માન્યતા છૂટી ગઈ છે, જ્ઞાનસ્વભાવ તરફનો તેનો પુરુષાર્થ વળ્યો છે અને તેને જ સર્વજ્ઞદેવની તથા ક્રમબદ્ધ પર્યાયની યથાર્થ શ્રદ્ધા થઇ છે.
પર્યાય ક્રમબદ્ધ હોવા છતાં, પુરુષાર્થવાળાને જ સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય થાય છે. જુઓ, આમાં આત્માના જ્ઞાયક સ્વભાવના પુરુષાર્થની વાત છે. ક્રમબદ્ધ પર્યાય'નો એવો અર્થ નથી કે જીવ ગમે તેવા કુધર્મને માનતો હોય છતાં તેને સમ્યગ્દર્શન થઈ જાય ! અથવા ગમે તેવા તીવ્ર વિષય કષાયોમાં વર્તતો હોય કે એકેન્દ્રિયાદિ પર્યાયમાં વર્તતો હોય છતાં તેને પણ ક્રમબદ્ધપણે તે પર્યાયમાં સમ્યગ્દર્શનાદિ થઈ જાય - એમ કદી બનતું નથી. પર્યાય ક્રમબદ્ધ હોવા છતાં શુદ્ધ સ્વભાવના પુરુષાર્થ વિના શુદ્ધ પર્યાય કદી થતી નથી. જ્ઞાનસ્વભાવની પ્રતીતનો અપૂર્વ પુરુષાર્થ કરે તેને જરામ્યગ્દર્શનાદિની નિર્મળ પર્યાય ક્રમબદ્ધ થાય છે, અને જે તેવો પુરુષાર્થ નથી કરતો તેને ક્રમબદ્ધ મલિન પર્યાય થાય છે. પુરુષાર્થ વગર જ અમને સમ્યગ્દર્શનાદિ નિર્મળ દશા થઈ જશે એમ કોઈ માને તો તે ક્રમબદ્ધ પર્યાયનું રહસ્ય સમજ્યો જ નથી. જે જીવ કુદેવ, કુગુરુ, કુધર્મને માને છે, સ્વચ્છંદપણે તીવ્ર કષાયોમાં વર્તે છે એવા જીવને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થઈ જ નથી. ભાઈ ! તારા જ્ઞાનસ્વભાવના પુરુષાર્થ વગર તે ક્રમબદ્ધ પર્યાયને ક્યાંથી જાણી? સમ્યગ્દર્શનની લાયકાતવાળા જીવને તેની સાથે જ્ઞાનનો વિકાસ, સ્વભાવનો પુરુષાર્થ વગેરે પણ યોગ્ય જ હોય છે. પુરુષાર્થ વડે જેણે જ્ઞાનસ્વભાવની પ્રતીત કરી તેને સમ્યગ્દર્શન થયું, એટલે પરનો તેમજ રાગાદિનો તે અકર્તા થયો, અને તેણે જ ક્રમબદ્ધ પર્યાયને ખરેખર જાણી છે. હજી તો કુદેવ અને સુદેવનો નિર્ણય કરવાની પણ જેના જ્ઞાનમાં તાકાત નથી તે