________________
૨૮૨ આ રીતે જે જીવ પોતાના જ્ઞાનસ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ કરે છે તેને જ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય છે. ૭) ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવો એટલે તારા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો, તે તો સ્વચ્છંદના નાશનું ને નિર્ભયતા થવાનું કારણ છે. ૮) જ્ઞાયકપણું' તે આત્માનો પરમ સ્વભાવ છે. જેમ છે અને જેમ થાય છે તેનો તે જાણનાર છે. ફેરફાર કરનાર નથી. અકર્તા છે. ૯) કમબદ્ધ પર્યાયની પ્રતીત તે તો વીતરાગતાનું કારણ છે. તે તો વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુનો સ્વભાવ
૧૦) પર્યાયનો કમ ફેરવવાની બુદ્ધિ છે તે પર્યાયબુદ્ધિ છે. આત્મા જ્ઞાયક છે એની પ્રતીત કરવાની આ વાત છે. ૧૧) આવી સત્ય વાત સત્સમાગમ યથાર્થપણે સાંભળવા મળવી તો દુર્લભ છે. અંતરમાં તેની સાચી ધારણા ક્યાંથી હોય? અને ધારણા વિના તેની યથાર્થ રુચિ અને પરિણમન તો ક્યાંથી થાય? ૧૨) અહો ! આ ક્રમબદ્ધ પર્યાયની વાત જેની પ્રતીતમાં આવે તેને જ્ઞાનસ્વભાવની દષ્ટિ થઈને મિથ્યાત્વનો ને અનંતાનુબંધી કષાયનો નાશ થઈ જાય; તેને સ્વચ્છંદતા ન થાય પણ સ્વતંત્રતા થાય. ૧૩) ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરતાં કબુદ્ધિનું ખોટું અભિમાન ઊડી જાય છે ને જ્ઞાયકપણાનો સાચો પુરુષાર્થ થાય છે. જ્ઞાનસ્વભાવના પુરુષાર્થ વડે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરીને પર્યાય સ્વસમ્મુખ થઈ ત્યાં એક સમયમાં તે પર્યાયમાં પાંચે ય સમવાય આવી જાય છે. (૧) સ્વભાવ (૨) નિયતિ (૩) નિમિત્ત (૪) કાળલબ્ધિ અને (૫) પુરુષાર્થ. ૧૪) જે સમયે જેમ થવાનું સર્વશદેવે જોયું છે તે સમયે તેમ જ થવાનું તેને ફેરવવા કોઈ સમર્થ નથી - જે એવું શ્રદ્ધાન કરે છે તે શુદ્ધ સમ્યગ્દષ્ટિ છે ને તેમાં જે શંકા કરે છે તે પ્રગટ મિથ્યાષ્ટિ છે. ૧૫) અહો ! આત્માનો જ્ઞાનસ્વભાવ, જેમાં ભવ નથી, તેનો જેણે નિર્ણય કર્યો તે ક્રમબદ્ધ પર્યાયનો જ્ઞાતા થયો, તેને ભેદજ્ઞાન થયું, તેણે કેવળીને ખરેખર માન્યા. પ્રભુ! આવું જ વસ્તુસ્વરૂપ છે ને આવા જ તારો જ્ઞાનસ્વભાવ છે. એકવાર આગ્રહ છોડીને, તારી પાત્રતા લાવીને આ વાત તો સાંભળ! ૧૬) જેને જ્ઞાનસ્વભાવની રુચિ અને દષ્ટિ થઈ ગઈ છે તે તો પછી અસ્થિરતાના અલ્પ રાગનો પણ જ્ઞાત જ છે. અને “રાગ થવાનો હતો તે થયો’ એમ કહીને જે રાગની રુચિ છોડતો નથી તે તો સ્વછંદી-મિથ્યાદષ્ટિ છે. આ ક્રમબદ્ધનું સ્વરૂપ સમજે એની તો દષ્ટિ પલટી જાય. ૧૭) “આવું નિમિત્ત આવે તો આમ થાય, ને નિમિત્ત ન આવે તો ન થાય.” આમ જેને નિમિત્તાધીન દષ્ટિ છે તેને ક્રમબદ્ધ પર્યાયની ખરી પ્રતીત નથી. ક્રમબદ્ધ પર્યાયમાં જે સમયે જે નિમિત્ત છે તે પણ નિશ્ચિત જ છે.