________________
૨૮૦
૩) ભગવાન આત્મા તો સદાય નિરાકુળતા-સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમજ કોઈનું કારણ નહિ હોવાથી, દુઃખનું અકારણ જ છે, અર્થાત્ દુઃખનું કારણ નથી.
આ પ્રમાણે તફાવત દેખીને જ્યારે આ આત્મા, આત્મા અને આસવોનો ભેદ જાણે છે તે જ વખતે ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્ત થાય છે. એવા જ્ઞાનમાત્રથી જ, અજ્ઞાનથી થતો જે પૌદ્ગલિક કર્મના બંધ તેનો નિરોધ થાય છે.
હવે પૂછે છે કે કઈ વિધિથી (રીતથી)આ આત્મા આસ્રવોથી નિવર્તે છે ?તેના ઉત્તરરૂપ ગાથા કહે છે :“છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શન પૂર્ણ છું,
એમાં રહી સ્થિત, લીન એમાં, શીઘ્ર આ સૌ ક્ષય કરું .’’
ગાથાર્થ : જ્ઞાની વિચારે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, મમતા રહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ છું; તે સ્વભાવમાં રહેતો, તેમાં (તે ચૈતન્ય અનુભવમાં) લીન થતો હું આ ક્રોધાદિક સર્વ આસ્રવોને ક્ષય પમાડું છું.
વિશેષાર્થ : વર્તમાન દશા અલ્પજ્ઞ હોવા છતાં સ્વભાવથી હું પરિપૂર્ણ છું. પરમાણુ જેમ પદાર્થ છે તેમ હું પણ પારમાર્થિક વસ્તુવિશેષ છું; એટલે કે સર્વથી ભિન્ન વસ્તુ છું. આ પ્રમાણે પ્રથમ વિકલ્પથી નિર્ણય કરે છે એની આ વાત છે.
પરમ ર્થ સ્વરૂપ આત્માનો નિર્ણય કરવા વિકલ્પ દ્વારા હું આવો છું એમ નિર્ણય કરે છે
૧) હું અખંડ જ્ઞાનજ્યોતિ સ્વરૂપ વિજ્ઞાનધન સ્વભાવપણાને લીધે એક છું.
E
૨) ષટકારકના પરિણમનથી રહિત શુદ્ધ છું.
૩) રાગપણે સદાય નહિ પરિણમનારો નિર્મમ છું.
૪) જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ વસ્તુવિશેષ છું.
મિથ્યા ભ્રાંતિનું આ મોટું તોફાન છે તેને શમાવવાની-મટાડવાની આ વાત ચાલે છે. હું જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ છું એમ પ્રથમ નક્કી કર. સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણપણું હોવાથી હું આકાશાદિ દ્રવ્યની જેમ પરમાર્થિક વસ્તુવિશેષ છું. પ્રથમ આવો નિર્ણય થાય છે.
હવે કહે છે - આ વિકલ્પને તોડીને અનુભવ કેમ થાય ?
તેથી હવે હું સમસ્ત પરદ્રવ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ જ આત્મસ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો, સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતાં જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આને જ (આ ચૈતન્ય સ્વરૂપને જ) અનુભવતો થકો, પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતાં જે આ ક્રોધાદિક ભાવો તે સર્વને ક્ષય કરું છું.
રાગાદિ વિકારો પરદ્રવ્યની પ્રવૃત્તિ છે અને તે નિમિત્તના આશ્રયે ઉત્પન્ન થાય છે. પ્રથમ કહ્યું વિકારી ભાવોનો સ્વામી પુદ્ગલ છે કેમ કે તેના લક્ષે થાય છે. હવે કહ્યું કે તે પરદ્રવ્યની પ્રવૃત્તિ છે. તે