________________
૨૪૩ - આ બધી કર્મધારા છે - એમાં ચેતનાનું પોતાનું કાંઈ પણ નથી. ૯) ચેતન તત્વ અનંત જ્ઞાન-દર્શન-વીર્ય-સુખ આદિ અનંત ગુણોનો પિંડ છે. જ્ઞાનગુણ એમાં મુખ્ય છે, અને તે સ્વ-પર પ્રકાશક છે. ચૈતન્ય માત્ર જ્ઞાતા દષ્ટા છે અને તેનું કામ માત્ર જાણવા-દેખવાનું છે. પ્રત્યેક સમયે પ્રત્યેક આત્મામાં આ જ્ઞાનધારા ચાલી રહી છે. ૧૦) અનાદિથી જીવ કર્મધારામાં અર્થાત્ શુભાશુભાદિ વિભાવોમાં અને શરીરમાં પોતાપણું માનતો થકો પણ જ્ઞાનરૂપ ચૈતન્ય ક્યારેય રાગ-દ્વેષરૂપ અથવા શરીરરૂપ નથી થતો, તે તો હંમેશા ચૈતન્ય જ બની રહ્યો છે. ૧૧) અહિંયા બન્ને ધારા ચાલુ છે. (૧) જ્ઞાનધારા (૨) કર્મધારા. જોવાવાળો એ ચૈતન્ય સ્વયં છે. એને સ્વયં જ પસંદગી કરવાની છે હું મને જ્ઞાનસ્વરૂપે જોઉં છું કે કર્મ સ્વરૂપ અથવા એના ફળ સ્વરૂપ. પોતાને પરરૂપ જોવો સંસાર છે અને પોતાને જ્ઞાનરૂપ-માત્ર જાણનરૂપ જોવો -જાણવો મોક્ષરૂપ છે. જોર જોવા-જાણવા પર લગાવવાનું છે. ૧૨) પોતે તત્વનો સાચો નિર્ણય કરી, ‘હું જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું એમ જ જાણવું, એમ જ માનવું અને એમાં જ સ્થિર રહેવું તે સ્વાનુભૂતિનો માર્ગ છે. સ્વાનુભૂતિ છે, સમ્યગ્દર્શન છે.
આ રીતે દરેક ઉદય પ્રસંગે સંપૂર્ણ જાગૃતિપૂર્વક પોતાના સ્વરૂપનું ચિંતન થતાં મિથા માન્યતાઓનો ગઢ તૂટતો જાય છે, પરમાં જે એત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોકતૃત્વ, શેયત્વ છૂટતું જાય છે અને આત્મા સ્વમાં આવતો જાય છે, વિજ્ઞાનઘન થતો જાય છે. પરથી ખસવું વ્યવહાર છે, સ્વમાં વસવું નિશ્ચયથી ધર્મ
છે.
આવી રીતે સ્વરૂપની સમજણથી - સસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. ૩. સ્વરૂપ પ્રાપ્તિની સરળ વિધિ (સ્વરૂપનું ચિંતવન સ્વરૂપના લક્ષ) :
હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું. ફક્ત ગુણોનો ભંડાર એટલે ગુણી એક જ સ્વામી, બીજો કોઈ નહિ. પરિવારમાં ફક્ત ગુણ જ. ફક્ત એક જ દષ્ટિ - શુદ્ધાત્મા - જ્ઞાયકભાવ એનાથી મોટું જગતમાં કોઈ નથી. “આત્માથી સૌ હીન”. આ આત્મા અનંત શક્તિ -અનંત ગુણોનો ભંડાર છે તેનો દૃષ્ટિમાં સ્વીકાર. ધન-દૌલત, કુટુંબ, શરીર, દેવ-ગુરુ-શાસ્ત્ર વ્યવહાર રત્નત્રય, નિશ્ચય રત્નત્રય, કેવળજ્ઞાન બધું ય હેય - બધું બાદ કરતાં સર્વ અવસ્થાઓથી ન્યારો એક શુદ્ધાત્મા તેનો જ મહિમા - તેનું જ ચિંતવન - તેનું જ ધ્યાન. દરેક સમયે શુદ્ધાત્માનું જ ચિંતવન. આ વાત શક્તિઓના ષટકારકથી સમજવી. નં. ષટકાર કાર્ય
અનુભૂતિ ૧. કર્તા કોણે કર્યું? આત્માએ અનુભવ કર્યો.
કોના પર કર્યું? આત્માનો અનુભવ કર્યો.
૨. કર્મ