________________
૨૦૮ ૯૧. આત્મારામ
૯૨. ગુણસ્થાનાતીત ૯૩. નિરપેક્ષ ૯૪. રૈલોક્ય શિખામણી ૯૫. જ્ઞાનક
૯૬. અદ્વિતીય ચક્ષુ ૯૭. કલ્યાણકારી ૯૮. નયાતીત
૯૯. સ્વચતુષ્ટયી ૧૦. અનંતનિધિ સંપન્ન ૧૦૧. રુચિવંત
૧૦૨. કૃતકૃત્ય ૧૦૩. જ્ઞાતા-દષ્ટ ૧૦૪. વૈરાગ્યવંત
૧૦૫. સ્વયં જ્યોતિ ૧૦૬. સ્વાનુભવ સ્વભાવી ૧૦૭. બુદ્ધ
૧૦૮. અવિનાશી. ૯. અરસ આદિ સંક્ષિપ્ત બોલો અર્થ સહિત
જીવ ચેતનગુણ શબ્દ રસરૂપ ગંધ વ્યક્તિ વિહીન છે;
નિર્કિટ નહિ સંસ્થાન જીવનું ગ્રહણ લિંગ થકી નહીં.'- સમયસાર ગાથા ૪૯. હે ભવ્ય ! તું જીવને રસ રહિત, ગંધ રહિત અવ્યક્ત અર્થાત્ ઇન્દ્રિયોને ગોચર નથી એવો ચેતના જેનો ગુણ છે એવો શબ્દરહિત કોઈ ચિન્હથી જેનું ગ્રહણ નથી એવો જેનો કોઈ આકાર કહેવાતો નથી એવો જાણ.
અરસ આદિના છ બોલ, અનિર્દિષ્ટ સંસ્થાનના ચાર બોલથી અને અવ્યક્તના છ બોલથી આત્માનું સ્વરૂપ જાણવું. આત્મા અરસ છે તેના છ બોલઃ ૧. વિશ્વમાં છ દ્રવ્યો છે. તેમાં જીવ દ્રવ્ય પાંચ દ્રવ્યથી ભિન્ન છે. પાંચ દ્રવ્યોમાં એક પુદગલમાં જ એકત્વ
કરીને (ઉધો) પડ્યો છે. શરીર, મન, વાણી, ઇન્દ્રિયો ઇત્યાદિ હું છું એમ વિપરીત માની બેઠો છે. તેને આત્મા જે ત્રિકાળ ચિદાનંદરસમય વસ્તુ છે તેમાં પુગલનો રસગુણ વિદ્યમાન નથી તેથી અરસ
છે. એમ કહી ભેદજ્ઞાન કરાવ્યું છે. ૨. પુદ્ગલ દ્રવ્યોના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રસગુણ નથી માટે અરસ છે. ૩. પરમાર્થે પગલદ્રવ્યનું સ્વામીપણું તેને નહિ હોવાથી તે દ્રવ્યન્દ્રિયના અવલંબન વડે પણરસ ચાખતો
નથી. આ જડ ઇન્દ્રિયોનો સ્વામી આત્મા નથી તેથી દ્રવ્યન્દ્રિયોના અવલંબન વડે તે રસ ચાખતો
નથી માટે અરસ છે. ૪. પોતાના રવભાવની દષ્ટિથી જોવામાં આવે તો લાયોપક્ષમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે
ભાવેન્દ્રિયના અવલંબન વડે પણ રસ ચાખતો નથી. ભાવેન્દ્રિયોનો જ પરમાર્થે આત્મામાં અભાવ
છે માટે અરસ છે. ૫. સકળ વિજ્યોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી
કેવળ રસદના પરિણામને પામીને રસ ચાખતો નથી માટે અરસ છે. આત્મા અખંડ જ્ઞાયક ભાવરૂપ વસ્તુ છે તે પાંચેય ઇન્દ્રિયોના વિષયને અખંડપણે જાણનારો છે. એક જ ઇન્દ્રિય વિષયનું વેદન અર્થાત્ જાગવું એવો આત્મસ્વભાવ નથી.