________________
૧૯૯
છોડે. અને અન્ય દ્રવ્યના ભાવમાં લક્ષ છૂટ્યું એટલી તેની પર્યાય અંતરમાં ચૈતન્યમય જ્ઞાયકભાવ તરફ ગઈ અને તે પર્યાયે તેનું સેવન કર્યું. જે વર્તમાન જ્ઞાન ને શ્રદ્ધાની પર્યાય છે તે પર્યાયે પરનું લક્ષ છોડીને સ્વચૈતન્યના જ્ઞાયકભાવનું જ્યાં લક્ષ કર્યું ત્યાં તે પર્યાયમાં શુદ્ધતાનું સેવન થયું એટલે કે શુદ્ધતામાં એકાગ્રતા થઈ. અને એકાગ્રતા થઈ ત્યારે તેમાં જણાયું કે આ શુદ્ધ છે.
વસ્તુ તો શુદ્ધ છે જ. પણ તેને ભિન્નપણે ઉપાસવામાં આવતાં શુદ્ધ કહેવાય છે. જેને પર્યાયમાં શુદ્ધપણું જણાણું છે, શુદ્ધ દશામાં આ શુદ્ધ છે એમ જેને જણાણું છે તેને શુદ્ધ કહેવાય છે.
વસ્તુ છે તો જિનસ્વરૂપ એટલે કે તે છે તો શુદ્ધ. અરે ! તેને શુદ્ધ કહો, જિનસ્વરૂપ કહો, જ્ઞાયક કહો, ધ્રુવ કહો, અભેદ કહો કે સામાન્ય કહો એક જ વાત છે. તો આવી ચીજ હોવા છતાં તેની સમીપમાં એ દ્રવ્ય પડ્યું હોવા છતાં અજ્ઞાનીનું પર ઉપર લક્ષ છે, તેથી તેની તેને ખબર પડતી નથી. અહા ! એક સમયની પર્યાયની સમીપમાં પ્રભુ પડ્યો જ છે. પણ અજ્ઞાનીની દૃષ્ટિ ત્યાં નથી. અનાદિની તેની દૃષ્ટિ ધ્યા, ર દાન, વ્રત, કામ, ક્રોધના પરિણામ અને કાં તેને જાણનારી એક સમયની પર્યાય ઉપર છે. બસ ! ત્યાં આગળ જ એ ઊભો છે. તેથી તે મિથ્યાદષ્ટિ છે, સત્ય દૃષ્ટિથી વિરુદ્ધ દૃષ્ટિવાળો છે.
હવે કહે છે કે ‘વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે.’ એટલે જાણનારો જણાયો છે તે જાણવાની પર્યાય પોતાની છે. જાણનાર જે વસ્તુ જણાણી છે તે પર્યાય પોતાની છે. અર્થાત્ તે પર્યાય στ પોતાનું કાર્ય છે ને આત્મા તેનો કર્તા છે. અહા ! ‘જાણનારો’ એવો ધ્વનિ છે ને ? એટલે તે જાણનારો છે તેથી જાણે કે તે પરને જાણે છે. (એમ તેને થાય છે.) કેમ કે જાણનારો કહ્યો છે ને !
પ્ર. : પણ જાણનાર છે માટે પરને જાણે છે ને ?
ઉ. : ના ! પરંતુ એ તો પર સંબંધીનું જ્ઞાન પોતાથી પોતામાં સ્વ-પર પ્રકાશક થાય છે. તે પર્યાય જ્ઞાયકની છે. અહા ! તે જ્ઞાયકપણે રહેલો છે તેથી જ્ઞાયકની જાણનાર પર્યાય તે તેનું કાર્ય છે, પણ જણાવવા યોગ્ય વસ્તુ છે એનું એ જાણવાનું કાર્ય નથી. અને એ જણાવવા યોગ્ય વસ્તુ છે, જાણનારનું (જ્ઞાયકનું)કાર્ય નથી.
અહા ! અહીંયા ‘જ્ઞાત - જ્ઞાયકપણે જણાયો’ એમ કીધું છે ને ! તથા ‘જણાયો તે તો તે જ છે’ એમ પણ કહ્યું છે ને ! તેથી તે (જ્ઞાયક) જાણનારો છે માટે, તેમાં બીજો જણાણો છે એમ નથી. પ્ર. : પરંતુ તે જાણનાર છે ને ? માટે તે જાણનાર છે તેથી તેમાં બીજો પણ જણાયો છે ને ?
ઉ. ઃ ના, કેમ કે જણાય છે તે પોતે જ છે. અથવા પોતાની પર્યાય જ જણાણી છે, જાણનારની પર્યાય જણાણી છે. અહા ! રાગાદિનું જ્ઞાન હો તો હો પરંતુ અહીં રાગ સંબંધીનું જે જ્ઞાન છે તે જ્ઞાન તો પોતાથી પ્રગટેલું છે. અર્થાત્ તે રાગ છે માટે અહીં સ્વ-પર પ્રકાશક જ્ઞાનની પર્યાય પ્રગટી છે એમ નથી. અહા ! અહીંયા જણાયો તે પોતે જ છે એમ કહે છે. એટલે કે જ્ઞાનની પર્યાયમાં જે જણાયો છે તે જાણનારો જ છે, પરંતુ ‘જાણનારો’ એવો અવાજ આવે છે એટલે જાણે કે તે બીજાને જાણે છે અને તે (જાણવું એ) એનું (બીજાનું) કાર્ય છે એમ તેને થાય છે. પણ એમ નથી. કેમ કે બીજાને જાણવાને કાળે પણ પોતાની