________________
૧૮૦ થાય. તેમ જ લૌકિક માનાર્થે પણ વ્રતાદિ પાલન ન કરે. પુણ્યના ફળસ્વરૂપે બાહ્ય અનુકૂળતાની અભિલાષાથી પણ વ્રત, તપ ન કરે.
ઉપરોક્ત યોગ્યતાપૂર્વક પોતાના ભાવોનું અવલોકન થવાથી આત્મભાવ અને અન્ય ભાવોનો પરિચય થવાથી તેની જાતિ ઓળખાય છે અને અન્ય ભાવોનો નિષેધ આત્મભાવના આદરપૂર્વક શરૂ થાય છે. પછી ભેદજ્ઞાન, પોતાના અસ્તિત્ત્વનું ભાવભાસન થવાથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. આ
સ્વાનુભૂતિ તે જ સમ્યગ્દર્શન છે. ત્યાંથી મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. ૪. પાંચ લબ્ધિઓનું સ્વરૂપ :
તત્ત્વવિચાર કરનાર મુમુક્ષુ આત્મા, સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો અધિકારી બને છે. તેમાં પણ શુદ્ધાત્મ સ્વરૂપ વિશેષ કરીને અભિપ્રેત અને શેય છે. તત્ત્વને ભાવસહિત યથા સ્વરૂપે જાણનારને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ હોય છે. હવે આ સમ્યગ્દર્શન પ્રકાશે છે, તેની પૂર્વે આત્માને પાંચ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે છે. ૧. ક્ષયોપશમ લબ્ધિ - જ્ઞાનનો ઉઘાડ. ૨. વિશુદ્ધિક લબ્ધિ - કષાયની મંદતા, મોહનું મંદ થવું. ૩. દેશના લબ્ધિ - સાચાદેવ-ગુરુ-શાસ્ત્રનું નિમિત્ત, સાચો વસ્તુના સ્વરૂપ સંબંધી ઉપદેશ, સાત તત્ત્વોની
યથાર્થ સમજણ. ૪. પ્રાયોગ્ય લબ્ધિ - સુવિચારણા-યુક્તિનું અવલંબન, નય - પ્રમાણનું જ્ઞાન, તત્ત્વનો નિર્ણય, નિજ
જ્ઞાનનું અંશે પ્રગટ થવું. કરણ લબ્ધિ - રુચિમાં પલટો, ઉપયોગમાં પલટો, વીર્ય રુચિ અનુસાર સ્કુરાયમાન થાય, યથાપ્રવૃત્તિ કરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. પાંચ લબ્ધિઓની પ્રાપ્તિ સમ્યક સન્મુખ જીવને ક્રમે થાય છે. હવે એ લબ્ધિઓનું સ્વરૂપ વિસ્તારથી
જોઈએ. ૧. ક્ષયોપશમ લબ્ધિ: જે શક્તિ વડે આત્મા પોતાના હિત-અહિત, કલ્યાણ-અકલ્યાણ તથા સુખ
દુઃખનું યથાર્થ જ્ઞાન કરી શકે તથા આત્મજ્ઞાની સદ્ગુરુના ઉપદેશને યથાર્થપણે ગ્રહણ કરી શકે તથા તે ઉપદેશને જેમ છે તેમ બરાબર સમજી શકે એવો જે જ્ઞાન ગુણનો નિર્મળ ક્ષયોપશમ પર્યાયમાં પ્રગટ થયો તે જ આ ક્ષયોપશમ લબ્ધિ છે.
જેથી તત્વોનો વિચાર થઈ શકે એવો આત્માનો ક્ષયોપશમ ભાવ પેદા થવો તે ઉપાદાનકારણ હોય અને તેમાં કર્મની યોગ્ય સ્થિતિ પેદા થવી અર્થાત્ તથા પ્રકારનો કર્મોનો ક્ષયોપશમ થવો તે નિમિત્ત હોય, તે એ રીતે કે કર્મોના મેલરૂપ અશુભ જ્ઞાનાવરણાદિ સમૂહનો અનુભાગ(રસ) જે કાળમાં સમયે સમયે અનંતગુણા ક્રમથી ઘટતો જઈને ઉદયને પ્રાપ્ત થાય છે, એટલે કે ઉદયકાળને પ્રાપ્ત સર્વ ઘાતી સ્પર્ધકોના નિષેકોના ઉદયનો અભાવ તે ક્ષય તથા ભાવિકાળમાં ઉદય આવવા યોગ્ય