SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ થાય એમ ભ્રમથી માને છે. તેમાં એકલી સંયોગી પર્યાયદષ્ટિ છે. અહો ! એકેક સમયની પર્યાયનું સ્વતંત્ર ઉપાદાન! તેનો નિર્ણય કરવામાં આવે તો વીતરાગદષ્ટિ થઈ જાય છે. વસ્તુસ્વરૂપ જ આ છે. ૯. ઉપાદાનની યોગ્યતા કહો, સ્વકાળ કહો, પર્યાયની તાકાત કહો, અવસ્થાની લાયકાત કહો, પર્યાય ધર્મ કહો, કાળલબ્ધિ કહો, ક્રમબદ્ધ પર્યાય કહો, નિયત કહો કે તે પ્રકારનો પુરુષાર્થ કહો – એ બધું એક ૦૪ છે. ૧૦. જ્યાં જ્યાં જે જે કાર્ય થાય છે ત્યાં ત્યાં તે પ્રમાણેની ઉપાદાનની લાયકાતથી જ થાય છે. સમય સમયનું ઉપાદાન સ્વાધીન-સ્વંયસિદ્ધ છે. ઉપાદાનની સ્વાધીનતાનો જેનો નિર્ણય નથી તેને સમ્યગ્દર્શન પામવાની યોગ્યતા નથી. ૧૧. સમ્યગ્દર્શનમાં “આત્માનો અભેદસ્વભાવનો આશ્રય એવો એક જ પ્રકાર છે. ભેદના આશ્રયે અભેદ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થતો નથી. જો ભેદના આશ્રયે લાભ માને તો મિથ્યાત્વ છે. ૧૨. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” આનો સામાન્ય અર્થ એ છે કે વસ્તુસ્થિતિ જેમ છે એ યોગ્ય જ છે અને જો એનો સહજ સ્વીકાર જ્ઞાનમાં થઈ જાય અને જો યથાર્થ શ્રદ્ધા થઈ જાય તો સમ્યગ્દર્શન થાય. ૧૩. કાર્યની ઉત્પત્તિ પાંચ સમવાય મળવાથી થાય છે. ૧) સ્વભાવ ૨) નિયતી (હોનહાર) ૩) નિમિત્ત ૪) કાળલબ્ધિ ૫) પુરુષાર્થ. ૧) સ્વભાવનો અર્થ એવો છે કે જે વસ્તુમાં જેવા કાર્યરૂપ થવાની યોગ્યતા હોય છે તેવું કાર્ય થાય છે. ૨) નિયતિનો અર્થ એવો છે કે કાર્યરૂપ થવાની તે યોગ્યતા ક્રમબદ્ધ છે. જે ક્રમમાં જે થવાનું છે તે જ થાય છે. ૩) નિમિત્તનો અર્થ એ છે કે યોગ્યતા નિમિત્ત સાપેક્ષ કાર્યરૂપ પ્રગટ થાય છે. ૪) કાળલબ્દિનો અર્થ એ છે કે એક કાળે જ્યારે એક કાર્ય થાય છે ત્યારે વસ્તુમાં એ કાળે એ પ્રકારની યોગ્યતા પણ એક જ પ્રકારની જોવા મળે છે. ૫) પુરુષાર્થનો અર્થ એ છે કે જ્યારે એ કાર્ય એ પ્રમાણે થવાનું છે તો તે પ્રમાણે તેવો પુરુષાર્થ ઉપડે જ છે. પુરુષાર્થમાં બીજા ચાર આવી જાય છે. ૧૪. સાધારણ નિયમ એ છે કે પ્રત્યેક કાર્ય પોતાના ઉપાદાનની યોગ્યતા અનુસાર જ થાય છે. ઉપાદાન કારણ ત્રણ પ્રકારના છે. ૧) ત્રિકાળી ઉપાદાન ૨) અનંતર પૂર્વેક્ષણવર્તી પર્યાય સંયુક્ત દ્રવ્ય ક્ષણિક ઉપાદાન. ૩) તત્સમયની પર્યાયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાન.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy