________________
૧૩૮
૧૮ પ્ર. : આટલું બધું કર્યું તો ય કાંઈ નહિ ?
ઉ. : આટલું બધુ કર્યું એમ જેને લાગે છે તેને મિથ્યાત્વનું જોર છે. શરીરની ક્રિયા વગેરે બહારની દૃષ્ટિથી જોનારને ‘આટલું બધું કર્યું’ એમ લાગે છે, પણ જ્ઞાનીઓ કહે છે કે તેણે કાંઈ જ અપૂર્વ કર્યું નથી, માત્ર બંધભાવ જ કર્યા છે, શરીરની ક્રિયાનો અને શુભરાગનો અહંકાર કર્યો છે. વ્યવહારે કહો તો પુણ્યભાવ કર્યા છે અને પરમાર્થથી તો તેણે પાપ જ કર્યું છે. રાગ કે વિકલ્પથી આત્માને લાભ માનવો તે મહા મિથ્યાત્વ છે, તેને ભગવાન પાપ જ કહે છે. એક પ્રકારનો બંધભાવ છોડીને બીજા પ્રકારનો બંધભાવ કર્યો. પરંતુ બંધ રહિત જ્ઞાનમૂર્તિ આત્માને ઓળખ્યો નહિ, બંધભાવની દૃષ્ટિ છોડીને અબંધ આત્મસ્વભાવને જ્યાં સુધી ન ઓળખે ત્યાં સુધી આત્મદૃષ્ટિએ તેણે કાંઈ કર્યું નથી. ખરેખર તો બંધભાવનો પ્રકાર પણ ફર્યો નથી. કેમ કે સર્વ બંધભાવોનું મૂળ એવું મિથ્યાત્વ ટળ્યું નથી.
૧૯ અજ્ઞાની પોતે ખાવા-પીવાનો, વસ્ત્રનો, પૈસાનો ઇત્યાદિરાગ છોડી શકતો નથી તેથી બીજા કોઈ અજ્ઞાનીને બહારમાં વસ્ત્ર, પૈસા વગેરેનો ત્યાગ દેખીને ‘તેણે ઘણું કર્યું અને તે મારા કરતાં ઉંચો છે' એમ માની બેસે છે; પરંતુ તે જીવ પણ બહારમાં ત્યાગી હોવા છતાં અંતરમાં અજ્ઞાનનું મહાપાપ સેવી રહ્યો છે, તેથી તે પણ તેની જ જાતનો છે. અંતરની ઓળખાણ વગર બહારથી માપ કાઢે તે સાચા ન આવે.
૨૦ ઉપર જેમ ત્યાગી અજ્ઞાનીનું દૃષ્ટાંત કહ્યું, તેમ તેનાથી ઉલટું અત્યાગી જ્ઞાની વિષે સમજવું. જ્ઞાની ગૃહસ્થ દશામાં હોય અને રાગ પણ હોય છતાં તેને અંતરમાં સર્વ પરદ્રવ્યો પ્રત્યે ઉદાસ ભાવ વર્તે છે. રાગનું પણ સ્વામીત્વ માનતા નથી તે ધર્માત્મા છે. જે જીવ આવા ધર્માત્માને અંતર ઓળખાણ વડે ઓળખે નહિ અને બહારથી માપ કાઢે તે જીવ આત્માને સમજ્યો નથી. જેઓ અંતરમાં આત્માની પવિત્ર દશા સમજતાં નથી તેઓ એકલા જડના સંયોગ ઉપરથી માપ કાઢે છે. સંયોગ ઉપરથી તો ધર્મી-અધર્મીનું માપ નથી. પરંતુ રાગની મંદતા ઉપરથી પણ ધર્મી-અધર્મીનું માપ નથી. ધર્મી-અધર્મીનું માપ તો અંતર અભિપ્રાય ઉપર છે.
જ
૨૧ કોઈ જીવ વ્હેન દર્શનના ઘણાં શાસ્ત્રો ભણીને-વાંચીને મોટો પંડિત થયો, કે કોઈ જીવ ઘણા વખતથી ત્યાગી થયો અને એમાં ધર્મ માની લીધો, પણ જ્ઞાનીઓ કહે છે કે તેથી શું ? એમાં ક્યાં ધર્મ છે ? સમ્યગ્દર્શન વગર કોઈ રીતે ધર્મ થતો નથી. પરના અવલંબનમાં અટકીને ધર્મ માનવો એ તો મિથ્યાદષ્ટિના કામ છે. રાગ માત્રનું અવલંબન છોડીને સ્વભાવના આશ્રયે નિર્ણય અને અનુભવ કરવો તે જ સમ્યગ્દષ્ટિનો ધર્મ છે અને ત્યાર પછી જ ચારિત્ર દશા હોય છે. રાગનું અવલંબન તોડીને, આત્મસ્વભાવનો નિર્ણય અને અનુભવ ન કરે અને દાન, દયા, શીલ, તપ વગેરે બધુંય કરે તો તેથી શું ? એ તો બધો ય રાગ છે ધર્મ નથી. ૨૨ એક સેકંડ માત્રનું સમ્યગ્દર્શન અનંત જન્મ-મરણનો નાશ કરનાર છે. એક માત્ર સમ્યગ્દર્શન સિવાય જીવ અનંતકાળમાં બધું ય કરી ચૂક્યો છે, પણ સમ્યગ્દર્શન એક કદી પણ એક સેકંડ માત્ર પણ પ્રગટ કર્યું નથી. જો એક સેકંડ માત્ર પણ સમ્યગ્દર્શન પ્રગટ કરે તો તેની મુક્તિ થયા વિના રહે નહિ. સમ્યગ્દર્શન એ જ માનવ જીવનનું મહા કર્તવ્ય છે.