________________
૧૦૪
૨૯. વ્યવહ ૨ નય ખરેખર આદરણીય હોવાની માન્યતા.
૩૦. શુભ વિકલ્પથી આત્માનું હિત થાય એવી માન્યતા.
૩૧. શુભ ઇષ્ટ અને અશુભ અનિષ્ટ એવી માન્યતા.
૩૨. વ્યવહ ર રત્નત્રય કરતાં કરતાં નિશ્ચય રત્નત્રય પ્રગટે તેવી માન્યતા.
દર્શન મોહનીય શું છે ? :
કર્મો અનંત પ્રકારના છે. તેમાં મુખ્ય આઠ પ્રકાર છે. એ આઠમાં મુખ્ય મોહનીય છે. એના બે ભેદ છે. (૧) દર્શનમોહ (૨) ચારિત્રમોહ.
જીવ અનાદિથી સંસારમાં કર્મ બંધના કારણે ચાર ગતિમાં, ચોર્યાસી લાખ યોનીઓમાં પરિભ્રમણ કરી અનંત દુઃખ ભોગવી રહ્યો છે. તે પરિભ્રમણનું મૂળ મિથ્યાત્વ ભાવ અને અજ્ઞાન છે. તેના નાશથી સમ્યગ્દર્શન અને સમ્યગ્નાન પ્રગટ થાય છે, પરંપરાએ જેનાથી મોક્ષ થાય છે. તે સમ્યગ્દર્શનનો પ્રતિબંધક ભાવ તે દર્શનમોહ - મિથ્યાત્વ છે.
જેના ઉદયથી જીવ સર્વજ્ઞ પ્રણીત માર્ગથી વિમુખ, તત્ત્વાર્થ શ્રદ્ધાન કરવામાં નિરઉત્સુક, હિતઅહિતનો વિચાર કરવામાં અસમર્થ એવો મિથ્યાદષ્ટિ થાય છે, તે મિથ્યાત્વ દર્શન મોહનીય છે.
જીવને સમ્યક્ત્વ નામનો ગુણ હોવા છતાં, જે કર્મ તે સમ્યક્ત્વ ગુણને સર્વથા મૂર્છિત કરી નાખે છે, તેને દર્શન માહનીય કર્મ કહેવામાં આવે છે.
આ દર્શનમોહના ભાવમાં રહેલી શક્તિને તોડવારૂપ પરિણામો કેવા હોય છે ? તેમજ તે ભાવોને વધુ પુષ્ટ કરનારા પરિણામો કેવા હોય છે ? તે આત્માર્થે સમજવા યોગ્ય છે.
અના દેથી અકારપણે-છતાં દર્શનમોહવશ, જીવ પરમાં સુખ માની રહ્યો છે, તેથી પરસંયોગ પાછળ જીવની દોડ રહી છે - તે ત્યાં સુધી કે પોતાનો માનેલો ધર્મ એટલે કે પુણ્ય કર્મ કરીને તે તેના ફળસ્વરૂપ અનુકૂળ સંયોગો પ્રાપ્ત કરીને સુખબુદ્ધિથી પુણ્ય કાર્યોમાં પ્રવર્તે છે. પુણ્ય કરીને અજ્ઞાની પુણ્યની મીઠાસ વેદે છે. પણ તે પુણ્યની મીઠાસ તેના સુખ સ્વભાવનું ખૂન કરે છે. મિથ્યાત્વ ભાવને કષાયખાનું કહ્યું છે. મિથ્યાત્વ ૫ ૫ તે સાત વ્યસનથી પણ અનંતગણું છે, તેનું જે પોષણ કરે છે તેણે કષાયખાના માંડ્યા છે જેનું ફળ અનંત સંસાર છે.
મિથ્ય ત્વ અનંત સંસારનું કારણ હોવાથી, તેની સાથે અવિનાભાવીપણે વર્તનારો અનુબંધી કષાય પણ અનંતાનુબંધી છે.
દર્શનમોહને લીધે જીવ મોક્ષમાર્ગથી વિમુખ વર્તવામાં વેગવાન થાય છે, તેનો પુરુષાર્થ વિપરીતતામાં બળવાન થાય છે અને આત્મસ્વભાવ પ્રત્યે અરુચિ રહે છે. જીવનો સ્વભાવ તો સમ્યક્ષણે પરિણમવાનો હોવા છતાં દર્શનમોહથી મુર્છાઈને જીવ મિથ્યાત્વ ભાવે પરિણમે છે.