________________
૨. અનાદિકાળથી આ વિશ્વ વ્યવસ્થા અને વસ્તુ વ્યવસ્થતા અખંડ અખ્ખલિત પ્રવાહરૂપે વ્યવસ્થિત જ
ચાલી રહી છે અને ચાલતી જ રહેશે. એ સંપૂર્ણ સ્વયં સંચાલિત વ્યવસ્થા છે એનો કોઈ હર્તા - કર્તા
- ધર્તા નથી અને સંપૂર્ણ સ્વતંત્ર છે. ૩. આ વ્યવસ્થાના ભાગરૂપે હું પણ એક જીવ દ્રવ્ય, ચૈતન્ય સ્વભાવી અનંત ગુણોનો (અનંત જ્ઞાન,
અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ એવા અનંત) ધારક અનાદિકાળથી સતત મારા અસ્તિત્ત્વને ટકાવીને નિરંતર પરિણમી રહ્યો છું અને મને પણ એ જ વ્યવસ્થાનો સિદ્ધાંત લાગુ પડે છે કે મારું પરિણમન પણ (૧) સ્વતંત્ર (૨) ક્રમબદ્ધ (૩) ઉપાદાનની યોગ્યતા પ્રમાણે છે. તે સમયે નિમિત્તની
હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી.' ૪. આ મારા સ્વતંત્ર પરિણમનમાં બીજા કોઈ પરદ્રવ્યની દખલગીરી કરવાની યોગ્યતા નથી અને કરી
શકે એવી કોઈ વ્યવસ્થા પણ નથી, કારણ કે એ બધા જ પરદ્રવ્યો પોતપોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવમાંથી બહાર નીકળી પોતાનું કાર્ય છોડી મારું કાર્ય કરવા તત્પર થાય એમ તો છે નહિ. અને આ બાજુ હું પણ મારા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની મર્યાદામાંથી બહાર નીકળી એમનું કાંઈ કાર્ય કરી શકું
એવી મારી પણ યોગ્યતા નથી અને એવી કોઈ વ્યવસ્થા નથી. ૫. આ છે મારું સાચું સ્વરૂપ અને એને જેમ છે તેમ, અને આ છે વિશ્વના બીજા પદાર્થોનું સ્વરૂપ, એને
પણ જેમ છે તેમ જાણવું, એનું શ્રદ્ધાન કરવું અને એમાં જ રમણતા કરવી, સ્થિરતા કરવી એ જ
મારો સ્વભાવ છે, એ જ મારો ધર્મ છે. વસ્તુનો સ્વભાવ એ જ એનો ધર્મ છે. ૬. આવી દર વિશ્વ વ્યવસ્થા હોવા છતાં અનંતકાળથી આ જીવ શું કામ ચાર ગતિમાં પરિભ્રમણ કરી
દુઃખી થઈ રહ્યો છે ? એની શું મૂળમાં ભૂલ છે? એ ભૂલ માટે કોણ જવાબદાર છે? એ ભૂલ ટાળવાનો સાચો ઉપાય શું છે? અત્યાર સુધી જે ઉપાય કર્યા એનું પરિણામ કેમ આવતું નથી? એવા
કોના આશ્રયથી આ ભૂલ ટળી શકે? આ બધા પ્રશ્ન છે. ૭. આ વાત આત્મસિદ્ધિની પ્રથમ ગાથામાં બતાવવામાં આવી છે.
“જે રવરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદનામું, શ્રી સદ્ગુરુ ભગવંત.” અમૂલ્ય તત્ત્વ વિચારમાં શ્રીમદ્દે કહ્યું છે :હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જે ક્ય; તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યા.” છ ઢાળામાં આ વાત આવી રીતે કરી છે :
“લાખ બાતકી બાત યહૈ, નિશ્ચય ઉર લાઓ, તોરિ સકલ જગ-દંદકંદ, નિત આતમ ધ્યાઓ.”
“મુનવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપાયો, પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયો.” ૮. ત્રણ લોકનો નાથ જે સિદ્ધ સ્વરૂપી ભગવાન આત્મા એનું જ્ઞાન, શ્રદ્ધાન થાય અને એમાં જ્યારે કરે
એ જ્ઞાયકવરૂપ આનંદઘન ભગવાન આત્મામાં ચરવું, રમવું, લીન થવું, સ્થિરતા કરવી એ અનુભવ એ ચારિત્ર છે.