________________
૭૮
પછી આચાર્ય ભગવંતો એ જ્ઞાનને પોતાના નિવૈભવ વડે અનુભવ પ્રમાણથી પરમાગમોની રચના કરી ગયા છે. એવા સત્ શાસ્ત્રોનું અવગાહન કરી, તેમાં બતાવેલ વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણી, તેની શ્રદ્ધા કરવાથી પોતાના શુદ્ધ આત્માનું સ્વરૂપ સમજાય છે. અને તેની ભાવના વડે સમ્યગ્દર્શનની સંપ્રાપ્તિ થાય છે.
આવી રીતે કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રની શ્રદ્ધા છોડીને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાને વ્યવહાર સમ્યગ્દર્શન કહેવામાં આવેલ છે. ૮. તત્વાર્ધ શ્રદ્ધાનનું સચનમ્ (સમ્યગ્દર્શનનું લક્ષણ)
અર્થ : તત્વ(વસ્તુ)ના સ્વરૂપ સહિત અર્થ - જીવાદિ પદાર્થોની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે. ટીકાઃ ૧. તત્ત્વોની સાચી શ્રદ્ધાનું નામ સમ્યગ્દર્શન છે. ‘અર્થ એટલે દ્રવ્ય-ગુણ-પર્યાય; ‘તત્ત્વ' એટલે તેનો
ભાવ - સ્વરૂપનું સ્વરૂપ(ભાવ) સહિત પ્રયોજનભૂત પદાર્થોનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. ૨. સમ્યગ્દર્શન લક્ષ્ય અને તત્ત્વાર્થ શ્રદ્ધા તેનું લક્ષણ છે. ૩. કોઈ જીવને ‘આ જાણપણું છે, આ શ્વેત વર્ણ છે' ઇત્યાદિ પ્રતીતિ તો હોય, પરંતુ દર્શન-જ્ઞાન
આત્માનો સ્વભાવ છે અને હું આત્મા છું તથા પુદ્ગલ મારાથી ભિન્ન(જુદો) પદાર્થ છે, એવું શ્રદ્ધાન ન હોય તો ઉપર કહેલા માત્ર ભાવ'નું શ્રદ્ધાન જરા પણ કાર્યકારી નથી. ‘હું આત્મા છું' એવું શ્રદ્ધાન કર્યું, પણ આત્માનું જેવું સ્વરૂપ છે તેવું શ્રદ્ધાન કર્યું નહિ, તો “ભાવ”ના શ્રદ્ધાન વિના
આત્માનું શ્રદ્ધાન ખરું નથી, માટે તત્ત્વ અને તેના અર્થ’નું શ્રદ્ધાન હોય તે જ કાર્યકારી છે. ૪. જીવાદિને જેમ તત્વ' કહેવામાં આવે છે તેમ અર્થ” પણ કહેવામાં આવે છે; જે તત્ત્વ છે તે જ અર્થ
છે. અને તેનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. જે પદાર્થ જેમ અવસ્થિત છે તેમ તેનું હોવું તે ‘તત્ત્વ છે. અને ‘અર્થ' કહેતાં નિશ્ચય કરીએ તે અર્થ છે. તેથી તત્ત્વસ્વરૂપનો જે નિશ્ચય તે તત્ત્વાર્થ છે. તત્ત્વાર્થની
શ્રવા તે સમ્યગ્દર્શન છે. ' ૫. વિપરીત અભિનિવેશ(ઊંધા અભિપ્રાય) રહિત જીવાદિનું તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ
છે. સમ્યગ્દર્શનમાં વિપરીત માન્યતા હોતી નથી, એમ બતાવવા માટે ‘દર્શન પહેલાં ‘સમ્યક પદ
વાપર્યું છે. જીવ, અજીવ, આસ્ટવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વો છે. ૬. નિશ્ચયથી શુદ્ધ આત્માનો પ્રતિભાસ તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે, અભેદ દષ્ટિમાં આત્મા તે જ
સમ્યગ્દર્શન છે. ૭. ‘તત્વ' શબ્દનો મર્મ ‘તત્ત્વ' શબ્દનો અર્થ ‘તપણું-તેપણું થાય છે. દરેક વસ્તુને તત્ત્વને સ્વરૂપથી
તતપણું છે અને પરરૂપથી અતાણું છે. જીવ વસ્તુ હોવાથી તેને પોતાના સ્વરૂપથી તપણું છે અને પરના સ્વરૂપથી અતપણું છે. જીવ ચૈતન્ય સ્વરૂપ હોવાથી તે જ્ઞાતા છે અને અન્ય સર્વ