________________
[ શરૂ૨ ] મ.મીના ગુરુદેવ હતા. તેએાએ તા. ૭-૬–૧૭ ના દિવસે આજથી ૬૧ વર્ષ પૂર્વે પાટણથી ભાવનગર ખાતે મુનિરાજશ્રી ભક્તિવિજયજી મ.શ્રી પર પત્ર લખેલ છે, જેમાં સ્વમદ્રવ્યની ઉપજ ઉપાશ્રયમાં લઈ જવાની બાબતના પાટણના સંઘના ઠરાવની હકીકતને સ્પષ્ટપણે તેમણે ઈનકાર કરેલ છે. જે જોતાં આજે સાગરના ઉપાશ્રયે ચાલતી તે કુપ્રથા તદ્દન અશાસ્ત્રીય તેમજ મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજે જણાવેલ હકીકતથી તદ્દન વિપરીત છે, તે પાટણ-સાગરના ઉપાશ્રયના વહિવટદારોએ ધ્યાનપૂર્વક લક્ષમાં લઈને સમજવા જેવી ને તે અશાસ્ત્રીય કુપ્રથાને છેડવા જેવી છે.
એટલે કે, પ્રવર્તક વયોવૃદ્ધ મુનિરાજશ્રી કાંતિવિજયજી મ. મુનિરાજશ્રી હંસવિજયજી મ. મુનિરાજ શ્રી ચતુરવિજયજી મ. આદિ પૂ. પાદ આત્મારામજી મહારાજશ્રીના શિષ્ય-પ્રશિષ્યોની પરંપરામાં સામાન્ય સુવિહિત મહાપુરૂષોની પરંપરાનુસાર સ્વપ્નદ્રવ્યની ઉપજ દેવદ્રવ્યમાં જ લઈ જવાની શાસ્ત્રીય પ્રથા હતી, ઉપાશ્રયમાં લઈ જવાની વાતને પણ સ્પષ્ટ રીતે આ પત્રવ્યવહારમાં તેમણે જે નિષેધ કરેલ છે, તેથી એ હકીક્ત પણ થાય છે. (પુસ્તિકાના પેજ ૩૭-૩૮માં આ પત્ર અત્રે પ્રગટ થયેલ છે.)
છેલ્લે-રાજનગર-અમદાવાદ મુકામે વિ. સં. ૧૯૯૦ની સાલમાં ભરાયેલ મુનિ-સંમેલનના ઠરાની ભૂલ નકલ ને તેમાં પૂ. પાદ આ. મકશ્રી આદિની પિતાના હસ્તાક્ષરવાળી