SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ [ 2 ] દેવાય નહિ. અમારે આને અંગે સ્પષ્ટ વિરોધ છે, ને વધુમાં તેઓએ જણાવ્યું કે, “સંઘે આવી બાબતમાં નિર્ણય લેતાં પહેલાં વર્તમાન કાલમાં જૈન સંઘમાં બિરાજમાન પૂ. સુવિહિત શાસનમાન્ય આચાર્ય ભગવતોને પૂછી જેવું જોઈએ ને ત્યારબાદ તેઓશ્રીની સમ્મતિથી જ, આ વિષયમાં નિર્ણય લઈ શકાય.’ આથી તે વખતે શ્રી શાંતાક્રઝ સંઘના પ્રમુખ સુશ્રાવક જમનાદાસ મોરારજી જે. પી. એ આ હકીકતને માન્ય કરીને સમસ્ત ભારતમાંથી જૈન છે. મૂ. પૂ. સંધમાં તેમયે તપાગચ્છ શ્રી સંઘમાં વિદ્યમાન પૂ. આચાર્ય ભગવંતોને આ વિષયમાં પત્ર લખેલ, ને તેના જે જે પ્રત્યુત્તર પ્રાપ્ત થયેલ તે બધું સાહિત્ય વિ. સં. ૧૯૯૫ ના મારા લાલબાગ–જૈન ઉપાશ્રયના ચાતુર્માસ દરમ્યાન મને સુશ્રાવક નેમિદાસ અભેચંદ-માંગરોલ નિવાસી તરફથી પ્રાપ્ત થયેલ. તે મેં પ્રથમ કલ્યાણ માસિકમાં પ્રસિદ્ધ કરવા આપેલ અને આજે ફરીથી તે પત્ર વ્યવહાર ગ્રંથસ્થ થાય તેમ અનેક સુશ્રાવકેની ભાવનાને સ્વીકારીને અત્રે તે પ્રસિદ્ધ થઈ રહેલ છે. –સંપાદક શાંતાક્રુઝ શ્રી સંઘ તરસ્થી લખાયેલો પ્રથમ પત્ર સવિનય લખવાનું કે, અત્રેન શ્રી સંઘ સં. ૧૯૩ ની સાલ સુધી સુપનની ઘીની બેલીના રૂા રા મણ ૧ ના લેતા હતા. અને તેને અંગે થયેલી આવક દેવદ્રવ્યમાં લેતા હતા. પણ સાધારણ ખર્ચને પહોંચી વળવા માટે ચાલુ સાલમાં વિચાર કરી એક ઠરાવ કર્યો કે સુપનની ઘીની બોલીના મણ ૧ ના રૂા. છે તેના બદલે હવેથી મણ ૧ ના રૂા. ૫) કરવા. જેમાંથી હંમેશની માફક રૂપીયા રા દેવદ્રવ્યમાં લઈ જવા, અને રૂા. રા) સાધારણ ખર્ચને પહોંચી વળવા માટે સાધારણ ખાતામાં લઈ જવાં. ઉપર
SR No.006102
Book TitleSwapnadravya Devdravya J Che
Original Sutra AuthorN/A
AuthorKanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1978
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy