SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાનું પ્લાસ્ટર કેટલું ખેંચે? જેઓ પગ ગુમાવી બેઠા છે તેવા કોઈ વિકલાંગની લાચાર સ્થિતિ સામે પ્લાસ્ટર કઈ વિસતમાં છે? ચશ્માંની દાંડી તૂટી જાય ત્યારે કોઈ પ્રજ્ઞાચક્ષુને યાદ કરી લેવા. ચશ્માંની ફ્રેમ તો મળી રહેશે.આંખ ક્યાં મળશે? (૩) પોતાના કરતાં અધિક સહનશીલ વ્યક્તિને નજર સામે લાવવાથી સહન કરવાનું સત્ત્વખીલી ઊઠે છે' કેટલાક લોકો બુદ્ધિથી ધાર્યા કાર્યો કરાવી શકે. આવા લોકો પ્રજ્ઞાબલી કહેવાય. કેટલાક જબાનથી ભલભલાને સમજાવી શકે. આવા લોકો વચનબલી કહેવાય. કેટલાક બાવડાથી પહેલવાનને ય પછાડી શકે. આવા લોકો કાયબલી કહેવાય. કેટલાક ગમે તેટલી પીડાને વિચલિત થયા વગર સહન કરી શકતા હોય છે. આવા લોકો મનોબલી કહેવાય અને આ જ ખરું બળ છે. પીડાને ભોગવવા માટે કાયબળ નહીં પણ મનોબળની જરૂર હોય છે. ક્યાંક યુવાન વયે પણ સહનશક્તિની વિકલતા જોવા મળે અને બાળવયે પણ સહનશક્તિની પાકટતા જોવા મળી શકે. નાનકડો એ બાળક હતો પણ મનોબળ તેનું ગજબનું હતું. તેને બગલના ભાગમાં ગુમડું થયેલું. નાનકડા ગુમડાને ગણકારે તે બીજા. ગુમડું તો પાકીને લાલ ટેટા જેવું થઈ ગયું. પીડાનો પાર નહોતો. હાથ પણ સૂજી ગયેલો. ઘરના વડીલોને ખબર પડી. આસપાસ સમાચાર પ્રસર્યા. જાણકારોએ એક ડોશીમાનું નામ આપ્યું. તેમની પાસે આ બાળકને લઈ ગયા. ડોશીમાએ ઓષધીના પાન વાટીને ચોપડ્યાં પણ ખાસ કાંઈ ફેરન પડ્યો. પછીતો હાથ પણ ઊંચો થઈ શકતો ન હતો. કો'કે કહ્યું: “ઊના ઊના ડામ દીધા વગર આનો અંત નહીં આવે -- – મનનો મેડિકલેઈમ (૪૨) - - -
SR No.006097
Book TitleManno Mediclaim
Original Sutra AuthorN/A
AuthorUdayvallabhvijay
PublisherPragna Prabodh Parivar
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy