SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ - ધર્મચક્ર તપ દિવસ - ૧૩૨ - જિનદીક્ષા તપ દિવસ - ૯૪ - જિન કેવળજ્ઞાન તપ દિવસ - ૧૦૧ - જિન નિવણ તપ મહિના - ૧૧ - ૧૭૦ જિન તપ દિવસ - ૧૭૦ - ચતુર્વિધ તપ દિવસ - ૧૨૩ - ૩૨ કલ્યાણક તપ દિવસ - ૩૨ - ચ્યવન-જન્મ કલ્યાણક તપ દિવસ - ૯૬ - કલ્યાણક અષ્ટાબ્લિકા તપ દિવસ - ૯૬0 - તીર્થકર માતૃ તપ દિવસ - ૪૯ - ચત્તારી અદાસ દોય તપ દિવસ - ૨૪ - ૯૬ જિનની ઓળી દિવસ - ૯૬ - સમવસરણ ૫ દિવસ - ૧૬ - સહસ્ત્રકુટ તપ લગભગ ૧000 દિવસથી વધુ (સૂચના : આ તપ સંબંધી જૈન તપાવલી સંગ્રહ પુસ્તકમાં વધુ જોઈ લેવું.) ૨૪ ભગવાન સંબંધિત વિશેષ વિગતા તીર્થકર નામકર્મ ગમે તે ભવમાં બંધાઈ શકે છે પણ તીર્થકર નામકર્મ પૂર્વના ત્રીજા ભવે જ નિકાચિત થાય છે. આ ચોવીસીના તમામ તીર્થકરો પૂર્વના ભવમાં દેવલોકમાં હતા, પણ તેવો નિયમ નથી. તીર્થકર પૂર્વના ભવમાં ૧ થી ૩ નર કેમાં કે વૈમાનિક દેવલોકમાં હોય છે. પણ ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, ૪ થી ૭ નારક, મનુષ્ય કે તિર્યંચના ભાવમાં હોતા નથી. દરે ક ભગવાનના પિતા રાજા હતા. માતા રાણી હતી. પરમાત્માના જમણા પગના સાથળ ઉપર જે ચિન્હ હોય. તે તેમનું લંછન કહેવાય. પરમાત્માની પ્રતિમામાં નીચે લંછન તૈયાર કરવામાં આવે છે; જેનાથી તે પ્રતિમા ક્યા ભગવાનની છે ? તેનો ખ્યાલ આવે છે. ભગવાનનો આત્મા જે ભવમાં સમ્યગુ દર્શન પામે તે ભવથી તેમના ભવની સંખ્યા ગણાય છે. જન્મ થતાં, દરેક ભગવાનનો જન્મ મહોત્સવ પ૬ દિક્યુમારિકાઓ કરે છે અને ૬૪ ઈન્દ્રો મેરુપર્વત ઉપર જન્માભિષેક કરે છે. પ્રભુ મહાવીરે જમણા પગનો અંગૂઠો મેરુને અડાડતા મેરુપર્વત ધ્રૂજવા લાગ્યો હતો.. દરેક તીર્થકર ભગવંત ‘નમો સિદ્ધાણં' કહીને પંચમુષ્ટિ (ઋષભદેવ ચતુર્મુષ્ટિ) લોચ કરે છે. પ્રભુ પણ બે હાથ જોડીને ‘કરેમિ સામાઈય...' પદો વડે પ્રતિજ્ઞા કરે છે. તે વખતે ઈન્દ્ર તેમના ખભે દેવદૂષ્ય (વસ્ત્ર) નાંખે છે. • દેવદુર્ણ મહાવીર સ્વામી ભગવાનને ખભે ૧૩ મહીના સુધી રહ્યું. ઋષભદેવનું પણ ગયું. બાકીના ભગવાનને આજીવન રહ્યું. સુમતિનાથ ભગવાનને દીક્ષા દિને પણ એકાસણું હતું. તમામ તીર્થકર ભગવંતોનું પ્રથમ પારણું કરાવનાર તે જ ભવે કે ત્રીજા ભવે મોક્ષે જાય છે. પહેલા આઠ ભગવાનને પ્રથમ પારણું
SR No.006095
Book TitleChauvisam Pi Jinvara Titthayara Me Pasiyantu
Original Sutra AuthorN/A
Author108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher108 Parshwanath Bhaktivihar Mahaprasad
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy