________________
ગુણથતિ અવગુણ ઢાંકવાજી, આશાતનની હાણ. આ પાંચેય પ્રકારનો વિનય ગૌતમસ્વામીમાં મૂર્તિમંત થયેલો દેખાય ! બાહ્ય પ્રતિપત્તિમાં ગૌતમ કેવા ઝળહળે છે ! પ્રભુનાં ચરણોના પૂજારી ! માત્ર સમવસરણમાં જ પ્રભુની પાદપીઠ પાસે ગૌતમ નહોતા બેસતા, તેમનું સકલ અસ્તિત્વ પ્રભુનાં ચરણોમાં હતું. પર્ષદામાં પ્રભુને પ્રશ્ન પૂછતી વખતે સે કાંઠેણ ભંતે ! એવું વચ્ચઇ ? એવા શબ્દો દ્વારા ગૌતમના પ્રશ્નો કાને પડે ત્યારે પર્ષદામાં બેઠેલા સહુના કાન માધુર્યનો કેવો આસ્વાદ માણતા હશે ! અને પ્રભુનાં મુખેથી પ્રત્યુત્તર મળે ત્યારે સેવં ભંતે ! સેવ ભંતે ! કહીને ગૌતમ તે જવાબને માથે ચડાવે. આ ભાષા અને શૈલી વિનયની દુનિયાના છે. પ્રભુનાં વચન કે આજ્ઞા નતમસ્તકે બે હાથ જોડીને સાંભળે, સ્વીકારે અને પાળે. ગુરુજણમુહભણિય કયંજલિઉડેહિ સોઅર્વાનો સાક્ષાત્કાર ગૌતમસ્વામીમાં જોવા મળે. પ્રભુ નાનું-મોટું કોઇ પણ કામ ભળાવે, ગૌતમ સહર્ષ અને સસંભ્રમ તેને શિરસાવંદ્ય કરે. અપત્તિયં, પરંપત્તિયં કે આલાવે-સંલાવે જેવું વિણાય પરિહાણે ગૌતમ આચરી જ ન શકે. આ બાહ્ય-પ્રતિમત્તિ-વિનય ગૌતમમાં પ્રકર્ષની સીમાને પણ ઓળંગી ગયેલો દેખાય.
બીજા પ્રકારના વિનયનું નામ છે-ગુરુ બહુમાન. હૃદયપ્રેમ બહુમાન ! તારકતત્વો પ્રત્યેની હાર્દિક પ્રીતિ મોક્ષ-સાંધક છે. પણ ગૌતમની આંતર પ્રીતિ એ હદે પહોંચેલી હતી કે તે તેમનાં કેવલજ્ઞાનમાં બાધક બની ! ઉપચાર-વિનય કદાચ વિનયરત્નની જેમ છેતરામણો નીવડી શકે ! બહુમાન વિનય જ વાસ્તવિક વિનય છે. ઉપચાર વિનય પણ બહુમાન વિનય લાવવા માટે છે.
વિનયના ત્રીજા પ્રકારનું નામ છે-ગુણસ્તવના. ગુરુગુણસ્તવના તો ગૌતમ એવી કરતા કે તે સાંભળતા સાંભળતા ૫૦૦ તાપસોને કેવલ્ય પ્રગટ થઇ ગયું ! અને આવું તો બીજા પણ અનેકની બાબતમાં બન્યું ! સુણાતા શ્રવણે અને બોલતા મુખે અમી ઝરે તેવી અનુભવ-પ્રતીતિ પ્રભુના ગુણોની બાબતમાં ગૌતમસ્વામીને થતી. કોઇ પણ મળે, ગૌતમ પ્રભુના ગુણોની કથા માંડી દેતા. અતિપરિચયાતું અવજ્ઞા ગૌતમને ક્યાંથી હોય? કારણ કે પ્રભુ વીતરાગ હતા. પણ સામેની વ્યક્તિ