________________
તોતીંગ અહંકારના કાળમીંઢ પર્વતના ચૂરેચૂરા કરી નાંખવાનું ક્ષાત્રવટ જોતા ગૌતમ એક ક્ષત્રિય મરદ લાગે.
અહંકારથી મૂછો આમળતા આમળતા પ્રભુના દરબારમાં ગયા અને પ્રભુનું ઐશ્વર્ય નિહાળીને તથા પ્રભુમુખે પોતાના ગુપ્ત સંશયની વાત જાણીને એક પળનોય વિલંબ કર્યા વિના મૂછ નીચી કરી નાંખી. અવસર આવે મૂછ નીચી કરતા વાણીયાને આવડે ! અને વાણીયા હલસ્ટેશન પર ફરવા જાય ત્યાં પણ કોઇ વેપારી મળી જાય તો સોદો કરી નાંખે. ત્યાંથી પણ કમાઇને આવે. ગૌતમ અષ્ટાપદ પર્વત ઉપર જાત્રા કરવા ગયા અને ત્યાંથી પણ ૧૫૦૦ શિષ્યોની કમાણી કરીને આવ્યા. ખરા વાણીયા નીકળ્યા.
અને, સદાય લઘુ બનીને રહેવા દ્વારા શૂદ્રતાને પણ પોતાનામાં સમાવી જાણી. જે સદાય સેવારત હોય અને લઘુ બનીને રહે તે શૂદ્ર. ગૌતમ એવા જ હતા ને !
૧૪