SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ શેરબજારની સિસ્મોલોજી વ્યાજે પૈસા લાવીને, મકાન ગિરવે મૂકીને, દાગીના વેચીને કે પોતીકા ધંધામાંથી મૂડી ખેંચીને શેરબજારમાં મોટાભાગે રોકાણ થાય છે, ત્યારે ઉચિત વ્યવસાયનું આ ત્રીજું લક્ષણ પણ બાજુ પર ખસી જાય છે. (૪) ઉચિત ધંધામાં કોઈ ગેરરીતિ કે અનીતિ ન હોય. શેરબજાર જો સ્વચ્છ અને ઉમદા વ્યવસાય હોય તો મિનિટોના મામલામાં કૃત્રિમ તેજી-મંદીની ઊથલપાથલો કેમ થાય ? અતિલોભથી આરંભાયેલું અને છેવટે અતિદુ:ખમાં પરિણમે એવા વ્યવસાયને શાસ્ત્રદષ્ટિએ અને વ્યવહારદૃષ્ટિએ પણ ઉચિત શી રીતે ગણવો તે પ્રશ્ન છે. આરોગ્ય, આબરૂ અને આવતીકાલના વિકરાળ પ્રશ્નો ઊભા કરીને માણસને સળગતો રાખે તેવા વ્યવસાયને અપનાવતા પહેલા લાખવાર વિચારવા જેવું ખરું ! અહીં રજૂ થયેલા વિચારોને તેજીના માહોલમાં પણ વળગી રહેવાનું સહુને બળ મળે તો સારું. અહીં કોઈ વિગતદોષ રહી જવા પામ્યો હોય કે જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ... m ७ ગણી મેઘવલ્લભવિજય-શિષ્ય ગણી ઉદયવલ્લભવિજય,
SR No.006090
Book TitleShare Bazarni Sismology
Original Sutra AuthorN/A
AuthorUdayvallabhvijay
PublisherPragna Prabodh Parivar
Publication Year2013
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy