SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શેરબજારની સિસ્મોલોજી પ્રાસ્તાવિકમ સૂરિપુરન્દર શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ધર્મબિન્દુ ગ્રન્થમાં ઉચિત વ્યવસાયની વ્યાખ્યા આપી છે : कुलक्रमागतमनिन्द्यं विभवाद्यपेक्षया न्यायतो अनुष्ठानमिति અહીં તાત્પર્ય જોતા ચાર મર્યાદા બાંધી છે : (૧) તમારો ધંધો બીજાના ધંધાને ચોપટ કરનાર ન હોય. શેરબજાર કોઈ એક વ્યક્તિના કે જૂથના ધંધાને અથવા કોઈ એક ખાસ ધંધાને જ નહીં, પણ મોટા ભાગની તમામ બજારોને ભારે હાનિ પહોંચાડનાર પુરવાર થયું છે. (૨) ઉચિત વ્યવસાય ક્યારેય લોકમાં તિરસ્કૃત ન બને. મોટી ઊથલપાથલ થાય છે ત્યારે હજારો લાખો પરિવારો પીડાય છે. અનેક માનસરોગોના દર્દીઓથી ક્લિનિકો ઊભરાય છે. આત્મહત્યા અને માનહાનિના ભરડામાં અનેકના મન નંદવાય છે ત્યારે શેરબજાર નિંદાય છે. (૩) જે ધંધો સ્વકીય વ્યાપારયોગ્ય મૂડીની મર્યાદામાં રહીને થાય તે ઉચિત ધંધો કહેવાય. ૧૬ )
SR No.006090
Book TitleShare Bazarni Sismology
Original Sutra AuthorN/A
AuthorUdayvallabhvijay
PublisherPragna Prabodh Parivar
Publication Year2013
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy