SearchBrowseAboutContactDonate
Page Preview
Page 944
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૮ રત્નત્રયી ઉપાસના બનાવવાની તાલાછડા ના કામ કરતા મારા કાકા.. કડાદરવાજા Y પ્રશ્ન ૨ ગુરુ ભગવંતની હાજરી ન હોય તો શું કરવું? જ ૫. સામાયિક સાધના કરવાને ઈચ્છુક આરાધકે પોતાની સન્મુખ સાપડા ઉપર પુસ્તિકા મૂકી, અવળો હાથ કરીનવકારમંત્ર અને પંચિંદિય સૂત્ર બોલી ગુરુની સર્વ પ્રથમ સ્થાપના કરવી જોઈએ અને ત્યાર પછી જ સામાયિક કરવા ઉધત થવું જોઈએ. કલ્પનાથી શ્રી સુધર્માસ્વામી ગુરુની સ્થાપના કરી છે તેમ વિચારવું. પ્રશ્ન ૬ ગુરુ સ્થાપના તો પંચિંદિય સૂત્રથી થાય છે, તો પહેલાં નવકારમંત્ર શામાટે બોલવો? વિનય વિના સાધના અધુરી છે, નવકાર મંત્ર સૌથી પહેલો શબ્દનમો છે, જે વિનયવાચક છે, વિનય ધર્મ લક્ષ્યમાં રહેવો જોઈએ. શ્રી નવકારમંત્રમાં બિરાજિત પંચ પરમેષ્ઠિ ભગવંતો સાધનામાં અપ્રમત્તપણું ટકાવવામાં અને મોક્ષમાર્ગ ઉપર સ્થિરતા પ્રાપ્ત કરાવવામાં પરમ સહાયભૂત છે; સાધના દરમ્યાન બાહ્ય રોગાદિ આફતોથી તથા અત્યંત ક્રોધાદિ અંતરંગ શત્રુઓથી રક્ષણ કરાવવા શ્રી નવકારમંત્ર શ્રેષ્ઠ મંગલ સ્વરૂપ છે. નવકારના પ્રથમ બે પદે બિરાજિત અરિહંત અને સિદ્ધ ભગવંતો જેવી સાધનાથી સિદ્ધિ પામવાની છે, તેવા લક્ષ્ય બદ્ધ થવાનું છે; નવકાર મંત્રમાં બિરાજિત પંચ પરમેષ્ઠિ ભગવંતો જેવા પ્રબલ પુરૂષાર્થી બનવાનું છે. આ બધા કારણસર શ્રી નવકારમંત્ર પ્રથમ બોલાય છે. પ્રશ્ન-૭ ગુરુસ્થાપનારૂપ શ્રી પંચિદિપ સૂત્ર બોલવાનો ઉદ્દેશ શું છે? જ -૭. સાચા ગુણવાન ગુરુની ઓળખાણ કરવામાં ન આવે, અને ભળતા કુગુરુની નિશ્રામાં આરાધના થઈ જાય તો સાધના કામ મોટું કરો, પણ મોટા વાયદા ન કરો.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy