________________
શ્રી ગૌતમસ્વામીનો વિલાપ
જવાબ : હે ગૌતમ ! જે પુરુષ ગુણરહિત હોવા છતાં ગુણવાન તરીકે અહંકારી હોય, જે ગુણવાન ધૈર્યવાન એવા તપસ્વીઓની નિંદા કરે, જે વિષયી હોય, જાતિ વગેરેના મદ કરે, બીજા જીવોને પીડા કરે, તે જીવ મરીને ભોજદેવની જેમ જે દેખવોય કોઈને ન ગમે તેવો દુર્ભગ-દુર્ભાગી થાય છે.
પ્રશ્ન ૧૪. હે કૃપાસાગર ! કયા કર્મ વડે જીવ બુદ્ધિશાળી થાય છે? જવાબ : હે ગૌતમ ! જે જીવ શાસ્ત્રનો પાઠ કરે, તેનું ચિત્ત્વન કરે, શાસ્ત્ર સાંભળે, બીજાને શાસ્ત્ર ભણાવે, ધર્મોપદેશ આપે, વળી જે શાસ્ત્રની ભક્તિ કરે અને ગુરુની ભક્તિ કરે, તે જીવ મરીને બુદ્ધિશાળી થાય છે.
પ્રશ્ન ૧૫. હે દયાના ભંડાર ! ક્યા કારણથી જીવ દુર્બુદ્ધિ બુદ્ધિ વિનાનો થાય છે ?
જવાબ : હે ગૌતમ ! જે જીવ તપસ્વીની, જ્ઞાનવંતની અને ગુણવંતની અવજ્ઞા-અપમાન કરે, જેમકે આ શું જાણે છે ? આ પ્રમાણે જે મુખથી બોલે તે મરીને કુબુદ્ધિવાળો, અધન્ય અને લોકોમાં નિંદનીય થાય છે.
૬૯૭
પ્રશ્ન ૧૬. હે દયાના સાગર ! કયા કર્મથી જીવ-પુરુષ પંડિત થાય? જવાબ : હે ગૌતમ ! જે પુરુષ વૃદ્ધ અને વડીલ જનોની સેવા કરે છે, ભક્તિ કરે છે, વળી જે પુણ્યનું અને પાપનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા રાખે છે, જે શ્રુતજ્ઞાનની અને ગુરુ મહારાજાની ભક્તિ કરે છે તે જીવ મરીને પંડિત થાય છે.
પ્રશ્ન ૧૭. હે કૃપાળુ ભગવાન્ ! ક્યા કર્મથી જીવ મરીને મૂંગો અને મૂખો થાય છે ?
B
સ્વર્ગમાં રત્નોના ઢગલા મળે તેમાં જીવનું કાઈ કલ્યાણ નથી.