SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮૮ રત્નત્રયી ઉપાસના જે જ્ઞાન તને ગુરુએ આપ્યું, તે ઉતરે તારા અંતરમાં રગેરગમાં એનો સ્રોત વહે, ને પ્રગટે તારા વર્તનમાં તારા જ્ઞાન દીપકના તેજ થકી, આ દુનિયા ઝાકઝમાલ બને.. જા સંયમ. વીતરાગ તણા વચનો વદતી, તારી વાણી હો અમૃતધારા કોઈ મારગ ઢંઢે અંધારે, તારા વેણ કરે ત્યાં અજવાળા વૈરાગ્યભરી મધુરી ભાષા, તારા સંયમનો શણગાર બને. જા સંયમ. જે પરિવારે તું આજ ભળે, તે ઉન્નત હો તુજ નામ થકી છતે સૌનો તું પ્રેમ સદા, તારા સ્વાર્થવિહોણા કામ થકી શાસનની જગમાં શાન વધે, તારા એવા શુભ સંસ્કાર બને.. જા સંયમ. અણગાર તણા જે આચારો, એનું પાલન તું દિનરાત કરે લલચાવે લાખ પ્રલોભન સદા, તું ધર્મ તણો સંગાથ કરે સંયમનું સાચું આરાધન, તારો તરવાનો આધાર બને.. જા સંયમ. મુક્તિ પંથે જાતાં (રાગ : બેના રે...). મનવા રે.. મુક્તિપંથે જાતાં જોજે અટકી ના જવાય, | મુક્તિનો મારગ સાચો કહેવાય. ભક્તિ જો થાય, પાપ ધોવાય, | મુક્તિનો મારગ સાચો કહેવાય.. મનવા મૂકી દે તું આ માયા સાથે કોઈ નહિ કરશે, એક દિવસ બધું છોડી અહિંયાં બીજે જાવું પડશે, મનવા રે... મૃત્યુની આ ઘડીઓ કોઈથી રોકી ન રોકાય. | મુક્તિનો મારગ સાચો કહેવાય. સુખ થોડું છે આ સંસારે વાત નહિ એ ભૂલજો, દુઃખને સામે પગલે વધાવી હસતા હસતા રહેજો, મનવા રે... સુખ દુઃખમાં તું જોજે તારું ભાન ના ભુલાય. મુક્તિનો મારગ સાચો કહેવાય... s ઘેર્ચ વગરનો માણસ નકશા વગરના મુસાફર જેવો છે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy