________________
શ્રી રત્નાકર પચ્ચીસી
૩
પsh
શું વાત કરવી ! છતાંય પાઈ જેવો મૂલ્યહીન છું. આપ સંભાળ કરશો તો પાઈમાંથીય ક્રોડપતિ બનીશ એવો મને દ્રઢ વિશ્વાસ છે.
દેવોને પૂજવા યોગ્ય હે પ્રભુ! મારું ચરિત્ર આપની સન્મુખ જ છે. હું આથી વધારે નકામું કેટલુંક કહું : કારણ કે આપ તો ત્રણ જગતના સર્વ સ્વરૂપને પ્રત્યક્ષ દેખી શકો છો, તો પછી મારું ચરિત્ર આપ જાણો તેમાં તો શું નવાઈ ?
છેલ્લી આંતરિક વિજ્ઞપ્તિ હારાથી ન સમર્થ અન્ય દીનનો ઉદ્ધારનારો પ્રભુ, મહારાથી નહિ અન્ય પાત્ર જગમાં જતાં જડે હે વિભુ; મુક્તિ મંગળસ્થાન તોય મુજને ઈચ્છા ન લક્ષમી તણી, આપો સમગ્રરત્ન શ્યામ જીવને તો તૃપ્તિ થાય ઘણી! રપા હે દીનોદ્ધારક !.
આપશ્રી સમાન આ ભવાટવીમાંથી બહાર આવનાર બીજે મને કોણ મળશે ! | મારા જેવું નમાલું પાત્ર પણ આપશ્રીને બીજે ક્યાં મળશે ! હે મુક્તિના મંગલસ્થાનસ્વરૂપ પ્રભુ !
મને ધનસંપત્તિની ઈચ્છા જરા પણ નથી. ઈચ્છા છે માત્ર રત્નત્રયીરૂપ સંપત્તિની. બસ, એટલું મને આપ પ્રદાન કરો ! હુંયમ માટે તૃપ્ત બની જઈશ.
- હે જિનેશ્વર ! મારા જેવા રંકને ઉદ્ધારનાર કોઈ પ્રભુ નથી, તેમ મારા જેવું કૃપાનું પાત્ર પણ કોઈ નથી, તોપણ હું કાંઈ આપની પાસેથી ધન માગતો નથી, પરંતુ મોક્ષરૂપ લક્ષ્મીના સમુદ્રસમાન તથા મંગળમય એક સ્થાન એવા હે જિનેશ્વર પ્રભુ ! હું તો ફક્ત સર્વ શ્રેયસાધક સમ્યકત્વરત્નની જ પ્રાર્થના કરું છું.
અને પ્રતિબંધ ટાળવાની ઈચ્છા જેની છે, તેણે સર્વ સંગથી ત્યાગી થવું જોઈએ.