________________
પ૦
રત્નત્રયી ઉપાસના
-
-
-
-
-
-
-
-
1
જિમ કલ્પતરૂવર સર્વ જનના મન-મનોરથ પૂરતા, આ લોક ને શિવલોકના હિમ જે અભીષ્ટો પૂરતા; વળી ચાર મુખથી જે ચતુર્વિધ ધર્મ પ્રતિપાદન કરે, તે ધર્મજિનવર પદક જે મુજ મનભ્રમર વિલમ્યાં કરે. ૧૭. જિમ ચન્દ્રકેરી ચાંદની આકાશને અજવાળતી, જિનવચનકેરી ચાંદની તિમ સર્વ દિશિ અજવાળતી; હરિણાંક પણ અકલંક જે વળી મોહના તિમિરો હરે, તે શાંતિજિનવર સેવતાં ભવિ શ્રેયની સંપદ વરે. ૧૮ ચોત્રીશ વર અતિશય થકી જે પરમ પ્રભુતાને ધરે, જ્ઞાનાદિ ચાર મહાતિશયથી જે હ વિભુતાને વરે; સુર અસુરને નરનાથના જે એક શરણાધાર છે, તે કુંથુજિન સંપત્તિદાતા અમ હૃદય આધાર છે. ૧૯ મહાસૂર્ય નિજ કિરણો થકી જિમ ગગનને ભૂષિત કરે, તિમ જે ચતુથરકમહીં આ અવનિને ભૂષિત કરે; વળી જે ભવિકની મોક્ષરૂપી સંપદા વિસ્તારતા, તે અરજિનેશ્વરને અમે મનમંદિરે પધરાવતા. ૨૦ નવ મેઘના આટોપથી જિમ મોરલા આનંદતા, તિમ સુર-અસુર-નર-ઈન્દ્ર જેના દર્શન આનંદતા; જે કર્મના વિષવૃક્ષને ગજરાજ સમ ઉમૂલતા, સ્તવીએ સદા તે મલ્લિજિનને, સર્વ સંકટ ચૂરતા. ૨૧ મહામોહનિદ્રાથી સકલજનના નિમીલિત નયનને, જાગૃત કરે જેનાં વચન વરતાં ઉષા-ઉપમાનને; તે નાથ મુનિસુવતતણી શુભ દેશનાના વચનની, સ્તવના હરે અમ વેદના ભીષણ ભવોના ભ્રમણની. ૨૨
શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી, મર્મ તો સત્પષના અંતરાત્મામાં રહ્યો છે.