SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ પોષક લેવાની વિધિ ૪૮૫ ઉઠતાં તિવિહારનું પ્રત્યાખ્યાન કરવું, ને નવકાર ગણીને ઉઠવું. પછી કાજો લઈ પરઠવી પોસહશાળાએ જવું. નિસાહિત્રણવાર કહી પૌષધશાળામાં પ્રવેશ કરવો. તિવિહાર ઉપવાસવાળાને પાણી પીવું હોય અથવા આહાર તેમજ ચૈત્યવંદન કર્યા પછી આયંબિલ કે એકાસણાવાળાને પાણી પીવું હોય, તો યાચીને લાવેલું અચિત્ત પાણી કટાસણા ઉપર બેસીને પીવું. પીધેલું વાસણ લુંછીને મૂકવું. પાણીનાં વાસણ ઉઘાડાં ન રાખવાં, પાણીના કાળનો ખ્યાલ રાખવો. ૧૦. આહાર પછીના ચેત્યવંદનનો વિધિ આહાર કરીને પોસહશાળાએ આવ્યા પછી, ઈરિયાવહિયા કરી સો ડગલાથી ઉપર ગયા હોય તો ગમણાગમણે આલોવી, જગચિંતામણિથી જયવીયરાય સુધી ચૈત્યવંદન કરવું. ૧૧. સ્વાધ્યાય ત્યાર પછી પન-પાઠન-વાંચન, સ્વાધ્યાય, શ્ન, પ્રતિપ્રશ્ન, ચિંતન, મનન, નવકારવાળીથી નમસ્કાર મંત્રનો જાપ, ધ્યાન, ઉપદેશશ્રવણગ્રહણ, પુનરાવર્તન વગેરેમાં લીન થવું. પોસમાં દિવસે સુવાનો આદેશ નથી. તીર્થંકર પરમાત્માના સામાયિકના અનુકરણરૂપ પોસહ હોવાથી અપ્રમાદપણે પોતહવ્રત આચરવાનું છે. તેથી ભીંતને કે એવી વસ્તુને ટેકો દઈને બેસવાને બદલે ટટ્ટાર બેસી સાવધાનપણે સ્વાધ્યાયાદિ કરવાના હોય છે. ખાસ કારણે પણ ગુરુ મહારાજની અનુજ્ઞા લીધા વિના ન સુવાય. ૧૨. માત્રુ કરવાનો તથા સ્પંડિત જવાનો વિધિ માત્રુ કરવા જવાનું વસ્ત્ર બદલવું. કાળ વખત હોય તો માથે કામળી રાખી, પુંજણી (પ્રમાર્જની) થી કોરી કુંડી જોઈને પ્રમાર્જિવી, તેમાં માત્રુ કરી, ત્રણવાર “આવસહી” કહેવાપૂર્વક ઉપાશ્રયની બહાર ખોડીલાંની સુખશાંતિ વધારવી.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy