SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવપદ તપ આરાધના વિધિ ૪૭૩ ક કક કકકર = ચોવિહાર એકાસણું કરવું. ઉધાપને ખીર, ખાંડ અને ધૃતથી ભરેલો થાળ દેવ પાસે મૂકવો. ગુરુને દાન દેવું. યથાશક્તિ સંઘ વાત્સલ્ય, જ્ઞાનપૂજા કરવી. સાથિયા, ખમાસમણા, કાઉસ્સગ્ગો ૭-૭ કરવા. લીવરસમસમ્યગ્દર્શનધરાય નમ:. એ પગદની ૨૦ માળા ગણવી. વર્ષીતપ વિધિ ફાગણ વદ આઠમના ઉપવાસથી શરૂ કરવો. પ્રારંભમાં છઠ્ઠ કે અક્રમ કરવો હોય તો આઠમના છેલ્લો ઉપવાસ આવે તે પ્રમાણે કરવો. આ તપમાં એકાંતરે ઉપવાસ અને પારણે ઓછામાં ઓછું બિઆસણું કરવું. વચ્ચે આવતા અક્ષયતૃતીયાના દિવસે (શક્તિ હોય તો) ઉપવાસ કરવો. સંવત્સરી, મૌન એકાદશી, જ્ઞાનપંચમી અને દર ચૌદસે ઉપવાસ અને ચોમાસીમાં છઠ્ઠ કરવો. બીજા વર્ષે અક્ષયતૃતીયા (વૈ.સુ.૩) ના - દિવસે શેરડીના રસથી પારણું કરવું. બે પ્રહર (છ કલાક) પછીનો શેરડીનો રસ અભક્ષ્ય છે. અથવા સાકરના પાણીથી પણ પારણું કરી શકાય. વિધિ : સાથિયા, ખમાસમણા, કાઉસ્સગ્ગો ૧૨-૧૨- કરવા તથા શ્રી ઋષભદેવનાથાય નમએ પદની ર૦ માળા ગણવી. ખમાસમણાનો દુહો પરમ પંચ પરમેષ્ઠિમાં, પરમેશ્વર ભગવાન; ચાર નિક્ષેપે ધ્યાઈએ, નમો નમો શ્રી જિનભાણ. III તા.ક. દરેક તપની પૂર્ણાહુતિ નિમિત્તે પોતપોતાની શક્તિ મુજબ ઉજમણું, પૂજા, સાધર્મિક, વાત્સલ્ય, વિવિધ જ્ઞાન, દર્શન, ચારિત્રનાં ઉપકરણો આદિની પ્રભાવનાઓ વગેરે શુભ કાર્યો કરી તપ ઉજવવા ભાગ્યશાળી બનવું જોઈએ. દરેક તપ વિધિપૂર્વક કરવાથી તેનું સંપૂર્ણ ફળ મળી શકે છે, છતાં પ્રતિક્રમણની ક્રિયા ન આવડતી હોય તેણે છેવટે સામાયિક પણ કરી ખોટી પ્રશંસા કરવી નહીં કે ખોટું આળ આપવું નહીં.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy