SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૬ ૨. રત્નત્રયી ઉપાસના રત્નત્રયી ઉપાસના તથા શ્રાવિકાએ કરવાનો છે. આ ભવમાં અને પરભવમાં મહાન લાભ આપનાર આ તપ છે, સાથિયા વિગેરે (૫૧) એકાવન અથવા (૨૦) વીસ કરવા. શ્રી અક્ષયનિધિ તપનો દરરોજ કરવાનો વિધિ પ્રથમ ઈરિયાવહીયા કરવા, પછી ઈચ્છાકારેણ. અક્ષયનિધિ તપ આરાધનાર્થ ચૈત્યવંદન કરૂં, ઈચ્છે કહી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું. ચૈત્યવંદન શાસનનાયક સુખકરણ, વર્તમાન જિનભાણ; અહનિશ એહની શિર વહુ, આણા ગુણમણિ ખાણ. ૧. તે જિનવરથી પામીયા, ત્રિપદી શ્રી ગણધાર; આગમ રચના બહુવિધ, અર્થ વિચાર અપાર. ૨. તે શ્રી શ્રુતમાં ભાખિયા એ, તપ બહુવિધ સુખકાર, શ્રી જિન આગમ પામીને, સાધુ મુનિ શિવસાર. ૩. સિદ્ધાંતવાણી સુણવા રસિક, શ્રાવક સમક્તિધાર; ઈષ્ટ સિદ્ધિ અર્થે કરે, અક્ષયનિધિ તપ સાર. ૪. તપ તો સૂત્રમાં અતિ ઘણા, સાધે મુનિવર જેહ, અક્ષયનિધાનને કારણે, શ્રાવકને ગુણ ગેહ. ૫. તે માટે ભવી તપ કરો એ, સર્વ ઋદ્ધિ મળે સાર; વિધિશું એમ આરાધતાં, પામીજે ભવપાર. ૬. શ્રી જિનવર પૂજા કરો, ત્રિકશુદ્ધ ત્રિકાલ; તેમ વળી શ્રુતજ્ઞાનની, ભક્તિ થઈ ઉજમાળ. ૭. પડિફકમણાં બે ટંકનાં, બ્રહ્મચર્યને ધરીએ; જ્ઞાનીની સેવા કરી, સહેજે ભવજળ તરીએ. ૮. ચૈત્યવંદન શુભ ભાવથી એ, સ્તવન થોઈ નમસ્કાર, મૃતદેવી ઉપાસના, ધીરવિજય હિતકાર. ૯. પછી જંકિંચિ., નમુત્થણ, જાવંતિ., ખમા, જાવંત, નમોડહ, કહી નીચે પ્રમાણે સ્તવન કહેવું. (લાવો લાવો ને રાજ માંધામૂલા મોતી એ દેશી) તપ વર કીજે રે, અક્ષયનિધિ અભિધીને, સુખકર લીજે રે, દિનદિન ચઢતે વાને. (એ આંકણી) પર્વપજુસણ પર્વ શિરોમણિ, જે શ્રી પર્વ મ નિયમ તોડે તે વસ્તુ ખાવી નહીં.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy